આપણા ભારતીય મસાલાઓમાં મરી એક જરૂરી મસાલો છે. તેનો પ્રયોગ શાકભાજીમાં સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. મરી સ્વાદ વધારવાની સાથે ઘણી બીમારીઓનો રામબાણ ઇલાજ પણ છે.
આપણા ભારતીય મસાલાઓમાં મરી એક જરૂરી મસાલો છે. તેનો પ્રયોગ શાકભાજીમાં સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. મરી સ્વાદ વધારવાની સાથે ઘણી બીમારીઓનો રામબાણ ઇલાજ પણ છે. તો તમે પણ જાણો મરીના ફાયદા અને અલગ અલગ તકલીફોમાં તેનું સેવન કરો.
કબજિયાતની સમસ્યામાંથી છુટકારો
મરી આપણી પાચનશક્તિ માટે ખૂબ જ લાભદાયી છે. તેનાથી કબજિયાત સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે. ભોજનમાં મરીનો ભૂકો નાખી દો અને પછી જુઓ તેના બેમિસાલ ફાયદા.
ગ્રીન ટી સાથે લેવાથી થશે ભરપૂર ફાયદા
તમે મરીનું સેવન ગ્રીન ટી સાથે પણ કરી શકો છો. જો તમે પાતળા થવા માટે ગ્રીન ટી પી રહ્યા હો તો કાળાં મરી તેમાં ભરપુર લાભ આપશે. ગ્રીન ટીને મરી સાથે ખાવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરશે. આ માટે એક ચપટી મરીનો પાઉડર લો અને તેને ગ્રીન ટીમાં મિક્સ કરીને દિવસમાં બેથી ત્રણ વાર પીઓ.
કરચલીઓ ઘટશે
મરી આપણાં શરીરને અનેક લાભ આપે છે તેનાથી સ્કિનની સમસ્યા પણ દૂર થાય છે. તે તમારી સ્કિન માટે લાભદાયી છે. તેનાથી પિગમેન્ટેશન દૂર થાય છે. ૪૦ પ્લસ મહિલાઓને સ્કિન સંબંધિત સમસ્યા થતી હોય તો તે ચપટી ભરીને કાળાં મરીનો પાઉડર ખાઇ શકે છે તેનાથી અનેક લાભ થશે.
પાચનતંત્ર બહેતર બને છે.
જો તમને પેટ સંબંધિત પરેશાની રહેતી હોય અને પેટ યોગ્ય રીતે સાફ ન થઇ શકતુ હોય તો મરીથી યોગ્ય ઇલાજ કોઇ નથી. મરી તમારું પેટ એકદમ સાફ કરી દે છે. તેનાં સેવનથી પાચતંત્ર પણ સુધરે છે.
ડાયાબિટીસ માટે પણ બેસ્ટ
શરદી ખાંસી દૂર કરનાર મરી ડાયાબિટીસ માટે પણ બેસ્ટ છે. તેનુ સેવન ડાયાબિટીસ અને બ્લડ શુગરની સમસ્યાને ખતમ કરે છે. સંશોધન મુજબ મરીમાં એવાં એજન્ટ હોય છે જે ડાયાબિટીસના ઇલાજમાં મદદ કરે છે. હુંફાળાં પાણીમાં મરીનો ભૂકો નાખીને પી શકો છો. તમે ઇચ્છો તો સવારે ખાલી પેટે ગરમ પાણીમાં હળદર અને મરી નાખીને પી શકો છો.
સલાડમાં ચપટી ભરીને મરી પાઉડર નાંખો, સૂપમાં પણ મરી પાવડર નાખીને તેનું સેવન કરી શકો છો.