સ્વિટ્ઝરલેન્ડે તેમની બેન્કોમાં ખાતુ ધરાવતા ભારતીયો અંગેની સૂચના શેર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. માત્ર ગત સપ્તાહમાં જ લગભગ એક ડઝન ભારતીયોને સંબંધિત નોટીસ ફટકારી છે. સ્વિટ્ઝરલેન્ડના અધિકારીઓએ માર્ચથી અત્યાર સુધીમાં સ્વિસ બેન્કોના ભારતીય ગ્રાહકોને ઓછામાં ઓછી 25 નોટિસ જાહેર કરી ભારત સરકાર સાથે આ ક્ષેત્રે જાણકારી શેર કરવા વિરુદ્ધ અપીલ કરવા અંતિમ તક આપી છે.
આપને જણાવીએ કે સ્વિટ્ઝરલેન્ડ તેમની બેન્કોમાં ખાતુ ધરાવતા ગ્રાહકોની ગુ્પ્તતા બનાવી રાખવાને લઇને એક મોટા વૈશ્વિક નાણા કેન્દ્ર રૂપે જાણીતું છે. પરંતુ કર ચોરી મામલે વૈશ્વિક સ્તર પર સમજૂતી બાદ ગુપ્તતાની આ દિવાલ હવે રહી નથી.
એકાઉન્ટ ધરાવનારની સૂચી શેર કરવાને લઇને ભારત સરકાર સાથે સમજૂતી કરવામાં આવી છે. અન્ય દેશો સાથે પણ આ પ્રકારે સમજૂતી કરવામાં આવી છે. સ્વિસ બેન્કોના વિદેશી ગ્રાહકોની સૂચનાઓ શેર કરવા સંબંધિત સ્વિટ્ઝરલેન્ડના ફેડરલ ટેક્સ વિભાગની નોટિસો અનુસાર, સ્વિટ્ઝરલેન્ડે થોડા સમયથી કેટલાક દેશો સાથે માહિતી શેર કરવાન લઇને પ્રક્રિયા ઝડપી બનાવી છે. ગત કેટલાક સપ્તાહ દરમિયાન ભારત સાથે સંબંધિત મામલે પ્રક્રિયા ઝડપી બની છે.
સ્વિટ્ઝરલેન્ડ સરકારે ગજટ દ્વારા સાર્વજનિક કરવામાં આવેલી જાણકારીમાં ગ્રાહકોનું પુરે પુરુ નામ ન બતાવીને માત્ર નામના શરૂઆતી અક્ષર બતાવાયા છે. સાથે તેમની રાષ્ટ્રીયતા અને જન્મ તિથિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગજટ અનુસાર, માત્ર 21 મેએ 11 ભારતીય ગ્રાહકોને નોટિસ ફટકારવામાં આવી છે. જે બે ભારતીયોના પૂર્ણ નામ બતાવાયા છે તેમા મે 1949માં જન્મેલા કૃષ્ણ ભગવાન રામચંદ્ર અને સપ્ટેમ્બર 1972માં પેદા થયેલા કલ્પેશ હર્ષદ કિનારીવાલા સામેલ છે. જોકે, તેમના વિશે વધુ જાણકારીનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
અન્ય નામો, જેમના માત્ર શરૂઆતના અક્ષરનો ઉલ્લેખ કરાયો છે, તેમા 24 નવેમ્બર 1944ના રોજ જન્મેલા ASBK, 9 જુલાઇ 1944ના રોજ જન્મેલા ABKI, 2 નવેમ્બર 1983 એ જન્મેલા PAS, 22 નવેમ્બર 1973ના રોજ જન્મેલા RAS, 27 નવેમ્બરે જન્મેલા 1944ના રોજ જન્મેલા ASP, 14 ઓગસ્ટ 1949ના રોજ જન્મેલા ADs, 20 મે 1935ના રોજ જન્મેલા MLA, 21 ફેબ્રુઆરી 1968ના રોજ જન્મેલા NMA, અને 27 જૂન 1973ના રોજ જન્મેલા MMA સામેલ છે. આ નોટિસમાં કહેવાયું છે કે સંબંધિત ગ્રાહક અથવા તેમના કોઇ પ્રતિનિધ જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે 30 દિવસમાં અપીલ કરવા ઉપસ્થિત થાય.