સુરતમાં પણ કોરોના કાળમાં કરોડોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું જેમાં ફેક આઈડી બનાવી સરકારી અનાજના જથ્થાનો બારોબાર વહીવટ કરી દેવામાં આવતો
ફેક ID બનાવી સરકારી અનાજનો કરાતો વહીવટ
કાળા બજારીયાઓ કરોડોનું અનાજ ચાંઉ કરી ગયા
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા આંકડા
ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં સરકારી અનાજ સગેવગે કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે કોરોના કાળમાં અનાજની કાળાબજારીના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા.
સુરતમાં પણ કોરોના કાળમાં કરોડોનું અનાજ ચાંઉ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે.
સુરતમાં ફેક આઈડી બનાવી સરકારી અનાજનો જથ્થાનો બારોબાર વહીવટ કરી દેવામાં આવતો હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો હતો.
આરોપીના મોબાઈલ-લેપટોપમાંથી ફેક યુઝર ID મળ્યા
અનાજ કૌભાંડ થયાનું સામે આવતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સુરતમાંથી 62 હજાર જેટલા ફેક આઈડીથી અનાજનો વહીવટ કરી દેવામાં આવ્યો છે. ફેક આઈડીથી 52 લાખના ઘઉં અને 44 લાખના ચોખા બારોબારા વેંચી દેવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે.
થોડા દિવસ અગાઉ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું હતું કૌભાંડ
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ ક્રાઈમ બ્રાન્ચે આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું જેમાં પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે મોબાઈલ-લેપટોપ જપ્ત કર્યા હતા અને જેમાંથી ફેક યુઝરના આઈડી મળી આવતા અનાજને સગેવગે કરવાના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જેમાં હજુ પણ વધારો ગડબડી થયાની શક્યતાઓ સેવાઈ રહી છે.
કેવી રીતે બહાર આવ્યું સમગ્ર કૌભાંડ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સરકારી અનાજને બારોબાર ઉપાડી લેવાના કૌભાંડ પર્દાફાશ કર્યો છે આ સમગ્ર કૌભાંડનું હેડક્વાર્ટર સુરતનું કામરેજ વિસ્તાર હોવાનું ખૂલ્યું છે. સુરત શહેરના કામરેજ વિસ્તારમાં રહેતો બંટી આ સમગ્ર કૌભાંડ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બંટીએ પોતાના મોબાઈલમાં બે સોફ્ટવેર ઈન્સટોલ કર્યા હતા. આ બન્ને સોફ્ટવેરમાં હજારો લોકોની માહિતી હતી જે લોકો રાશન ન લેતા હોય તેવા લોકોના ડેટા વેચવામાં આવે છે. ત્યાર બાદ તેના નામથી રાશન બારોબાર ઉપાડી લેવામાં આવે છે. એટલું જ નહીં એક એન્ટ્રીના 40 રૂપિયાના ભાવે ડેટાનો વેપલો થતો હતો. રાશન ન લેવા જતા લોકોના ડેટા વેચીને અનાજને બારોબાર ઉપાડી લેવામાં આવતું હતું. રાજ્યમાં 'વન નેશન, વન કાર્ડ' યોજના અંતર્ગત આ કૌભાંડ વધુ વ્યાપક બન્યું છે અમદાવાદ ક્રાઈમ બ્રાંન્ચે અંદાજીત 100 કરોડના કૌભાંડનો પ્રદાફાર્શ કર્યો છે. જેમાં મુખ્ય આરોપી કૌભાંડી બંટી હાલ ફરાર થઈ જતા પોલીસે તેમને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.