અમદાવાદઃ શહેરના નરોડામાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં કૃણાલ ત્રિવેદી અને તેમની પત્ની-પુત્રીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના બાદ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પતિની સુસાઇડ નોટ સામે આવી હતી. જેમાં તેણે બ્લેક મેજીકના કારણે આત્મહત્યા કરી છે તેવું સામે આવ્યું છે. જે મામલે DCPએ પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસો કર્યો હતો.
બ્લેક મેઝીકના કારણે સામુહિક આપઘાતને લઈ DCPનો ખુલાસોઃ
અમદાવાદના નરોડામાં પરિવારના સામુહિક આપઘાત મામલે ડીસીપી નિરજ બડગુર્જરે જણાવ્યું હતું કે કુણાલને ઈન્દોરમાં કોલેજ દરમિયાન એક યુવતી પ્રેમ કરતી હતી. કૃણાલની આ પ્રમિકાએ આપઘાત કરી લેતા માનસિક તે તણાવમાં રહેતો હતો. પ્રેમિકાના આપઘાત બાદ તેણે અસામાન્ય અનુભવ થયાનો દાવો કર્યો હતો. કુણાલને પ્રમિકા સાથે લગ્ન નહીં કરતા મૃત્યુ બાદ તે હેરાન કરતી હોવાનો વહેમ હતો જેને લઈને તેણે આત્મહત્યા કરી હતી. જો કે કુણાલ ત્રિવેદી સાઇકોલોજીકલી ડિસ્ટર્બ હોવાનું તપાસમાં ખુલ્યુ છે. પ્રેમિકાના આપઘાત બાદ અસામાન્ય અનુભવ થયાનો દાવો કર્યો હતો. પ્રમિકા સાથે લગ્ન નહીં કરતા મૃત્યુ બાદ હેરાન કર્યાનો વહેમ હતો.
કૃણાલ ત્રિવેદીના પત્નીની પણ સુસાઈડ નોટ આવી સામે...
નરોડામાં બ્લેક મેજીકના કારણે સામૂહિક આપઘાત મામલે હવે નવો વળાંક આવ્યો છે. કૃણાલ ત્રિવેદીની સુસાઈડ નોટ બાદ હવે તેમના પત્નીની પણ સુસાઈડ નોટ આવી સામે છે. કૃણાલ ત્રિવેદીના પત્નીની સુસાઈડ નોટમાં બ્લેક મેજીકના કારણે તે લોકો પરેશાન થતાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સાથે જ એવો પણ ઉલ્લેખ કરાયો છે કે પતિને અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવાનું બ્લેક મેજીક દ્વારા દબાણ કરવામાં આવતું હતું. જોકે પતિએ લગ્ન ન કરતાં અન્ય સ્ત્રીએ આપઘાત કર્યા હતો. ત્યાર બાદ તે સ્ત્રીની આત્મા પરેશાન કરતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પત્નીની આપવીતી... લખી સુસાઇડ નોટઃ
મા-બાપુને પ્રમાણ... મા-બાપુ આજ સુધીની તકલીફ માટે મને માફ કરજો. મા અમે મકાન એક કરોડમાં વેચી દીધું છે..... કારણ કે આ જીવન જીવવામાં તમામ મુશ્કેલીનું કારણ એ જ રહ્યા હતા. કારણ કે કોઈ યુવતી કૃણાલને પ્રેમ કરતી હતી. પરંતુ કૃણાલ સાથે તેના લગ્ન ન થઈ શક્યા. અને બાદમાં યુવતીને આત્મહત્યા કરી લીધી. તેના કારણે જ આ બધી મુશ્કેલી આવી રહી છે. એ કૃણાલને લઈ જવા માટે વારંવાર રટણ કરતી હતી. અને કંઈક ખોટું કરાવવાના જાપ કરાવતી હતી. તેનાથી મુશ્કેલીઓ વધતી જ જઈ રહી હતી. હવે સહન નથી થતું.
કારણ કે તે શ્રીન પર પણ હુમલો કરવા લાગી હતી. ના એ મારવા માગતી હતી કે ન જીવવા દેવા માગતી હતી. માટે ઘણું વિચાર્યા બાદ આ પગલું ભરી રહી છું. ક્યારેક તમે વિચારજો કે શું કોઈ વ્યક્તિને આટલી તકલીફ થઈ શકે છે. દરેક બે ચાર દિવસમાં નવી વાત સાંભળવા મળતી હતી. એ અમને શાંતિથી જીવવા નહોતી દેતી. દુનિયા આ વાતને નહીં સમજે પણ અમને પાગલ કહેશે. માટે અમે બધા સાથે જઈ રહ્યા છીએ. કૃણાલની તરફથી કોઈ જોરજબરદસ્તી નથી. મેં ઘણું વિચાર્યા બાદ જ આ નિર્ણય લીધો છે. કારણ કે કૃણાલ વિના જીવવું ઘણું મુશ્કેલ છે. આ દુનિયા મને અને મારી દીકરીને જીવવા નહીં દે. હું ઉતાવળમાં છું મારી ભૂલોને માફ કરી દેજો.