મ્યુકર્માઈકોસીસનો કાળો કહેર, બ્લેક ફંગસના કારણે રાજ્યમાં 70 દર્દીઓના મોત, અમદાવાદ સિવિલમાં 35ના મોત, સમગ્ર દેશમાં 200 લોકોએ જીવ ગુમાવ્યો, હજુ પણ દેશમાં 7 હજારથી વધુ કેસ
બ્લૅક ફંગસ એક નવી સમસ્યા, ગુજરાતમાં 70ના મોત
મ્યુકર્માઈકોસીસના કારણે અમદાવાદમાં 35ના મોત
200 લોકો જીવ ગુમાવ્યો, હજુ દેશમાં 7 હજારથી વધુ કેસ
કોરોના બાદ હવે મ્યુકર્માઈકોસીસ બીમારીએ માંથુ ઉંચક્યું છે, મ્યુકર્માઈકોસીસ જે બ્લેક ફંગસના નામ ઓળખાય છે તેના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે કોરોના વાયરસની બીજી લહેર નબળી પડી છે ત્યારે બ્લેક ફંગસની બીમારી રાજ્યમાં કાળો કહેર વર્તાવ્યો છે, ગુજરાતમાં જ બ્લેક ફંગસથી અત્યાર સુધીમાં 70 થી વધુ લોકોના મોત નિપજ્યા છે.
15 વર્ષના બાળકમાં પણ બ્લેક ફંગસ
જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લેક ફંગસ, મ્યુકર્માઈકોસીસના કારણે સૌથી વધુ 35 દર્દીના મોત નિપજ્યા છે. મોટી ઉંમરના લોકો બાદ હવે બ્લૅક ફંગસ બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે.અમદાવાદમાં 15 વર્ષના બાળકમાં પણ બ્લેક ફંગસ (મ્યુકર્માઈકોસીસ)ની બીમારી જોવા મળી છે આ બાળકને પહેલા કોરોના પોઝિટિવ થઈ ચૂક્યો હતો. જેને હવે મ્યુકર્માઈકોસીસ બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે.
મ્યુકર્માઈકોસીસના કારણે અમદાવાદમાં 35ના મોત
કોરોના સંકટની વચ્ચે બ્લૅક ફંગસ એક નવી સમસ્યા સ્વરૂપે ઝડપથી ફેલાઈ રહી છે અને લોકોની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં મ્યુકર્માઈકોસિસના કેસ એક હજારથી વધુ નોંધાયા છે, ત્યારે સરકારે પણ મ્યુકર્માઈકોસીસ કેસને સિસ્ટેમેટીક ફોર્મ્યુલા પ્રમાણે સરકારી ચોપડે નોંધવા શરૂ કર્યું છે જો કે હજુ સરકાર હોસ્પિટલમાંથી આંકડા મેળવી રહી છે સરકાર પણ બ્લેક ફંગસ બીમારીને ગંભીર જોવા મળી રહી છે બ્લેક ફંગસ ગુજરાતમાં પણ મહામારી જાહેર કરી દેવામાં આવી છે.
200 લોકો જીવ ગુમાવ્યો, હજુ દેશમાં 7 હજારથી વધુ કેસ
દેશમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના 7 હજારથી પણ વધુ કેસ સામે આવ્યા છે અને 200 લોકો આ બીમારીમાં જીવ ગુમાવી દીધો છે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બ્લેક ફંગસને બીમારીને મહામારીની શ્રીણેમાં મુકવાનો નિર્દેશ કરી દીધો છે, બ્લેક ફંગસને હવે Epidemic Diseases Actના આધારે નોટિફાઈ કરવામાં આવી છે. આ બીમારીના કુલ 7250 કેસ આવ્યા છે અને સૌથી વધુ કેસ અને મોત મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ પછી ગુજરાત અને મધ્યપ્રદેશનો નંબર છે. ગુજરાતમાં બ્લેક ફંગસના 1163 કેસ અને 63 મોત નોંધાયા છે. એમપીમાં 575 કેસ અને 31 મોતની પુષ્ટિ થઈ છે.
મ્યુકર્માઈકોસીસના જીવાણુ હવા, માટી અને ભોજનમાં
બ્લેક ફંગસની આ બીમારી દર્દીઓ માટે ઘાતક પૂરવાર થઈ રહી છે મોટા ભાગે કોરોના બાદ દર્દીઓમાં બ્લેક ફંગસની બીમારી જોવા મળતી હોય છે જેમાં દર્દીઓને આંખ, કાન, જબડા, કે તાવળામાં ફંગસ પેદા થયા છે આ ફંગસ શરીના અંગો અને મગજ સુધી પહોંચે છે, મ્યુકરમાઈકોસિસના જીવાણુ હવા, માટી અને ભોજનમાં મળી રહ્યા છે. તેનો પ્રભાવ ઓછો હોય છે અને તે સંક્રમણ ફેલાવતા નથી. મહામારીની સાથે તેના કેસ ઘટી રહ્યા છે તેઓએ અગાઉ સ્ટીરોઈડના ઉપયોગને આ બીમારીનું કારણ ગણાવ્યું હતું. સ્ટીરોઈડનો ખોટો ઉપયોગ આ બીમારીના સંક્રમણનું કારણ છે બ્લેક ફંગસની શક્યતા ડાયાબિટિસના પેશન્ટ અને કોરોના પોઝિટિવ પેશન્ટ જે સ્ટીરોઈડ લઈ રહ્યા છે તેમને વધારે રહે છે.