કચ્છમાં લાખો એકર જમીનમાં ગેરકાયદે મીઠું પકાવાય છે એટલું જ નહીં નેતાઓ અને અધિકારીની મીલી ભગતથી આ સમગ્ર કાળો કારોબાર ચાલતો હોવાનું સામે આવ્યું છે જેને VTV NEWSની ટીમે ઉજાગર કર્યો છે મહત્વું છે કે મુન્દ્રા,કંડલા, અંજારમાં વન વિભાગ-રેવન્યુની જમીન પર ગેરકાયદે અગર આવેલા છે, તેમજ રાપર, આદેસરના પટ્ટામાં પણ ગામે ગામે ગેરકાયદેસર અગર ચલાવવામાં આવે છે. આ તરફ સુરજબારી ખાડીમાં સેંકડો એકર જમીનમાં અગર ધમ ધમી રહ્યા છે.
રાપરથી રાધનપુર સુધી ફેલાયેલા છે તાર!
નેતાઓના પરિવારના લોકો ગેરકાયદે અગર ચલાવી લાખો કરોડોનો કારોબાર કરતા હોવાનું અહેવાલમાં સામે આવ્યું છે. જેને લઈ VTV NEWS દ્વારા મીઠાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કૌભાંડ આચરતા લોકો વન વિભાગની જમીન પર પણ મીઠાના અગર ચલાવી રહ્યા છે. રેવન્યુની જમીન પર ઉદ્યોગપતિઓ અને નેતાના ગેરકાયદેસર અગર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ તરફ કચ્છના નાના રણમાં મીઠાના માફિયાઓનો કબ્જો હોવાનું ખુલ્યું છે. તપાસમાં કચ્છના લુપ્ત થતા ઘૂડખર પર મીઠાના કારોબારીઓની મેલી નજર હોવાનું ખુલ્યું છે.
માફિયાઓની કચ્છના નાના રણમાં મોટી જાળ!
મહત્વનું છે કે ગેરકાયદે અગરમાં પીજીવીસીએલના અધિકારીનો પણ ભાગ હોવાનું મનાઈ રહ્યું છે. અધિકારીઓ દ્વારા લાખો રુપિયા લઇ અગરમાં વીજ કનેકશન આપવામાં આવે છે એટલું જ નહીં 30થી 50 લાખ રુપિયામાં ગેરકાયદે લીઝ મળે છે ત્યારે કચ્છનાં મીઠાની લીઝમાં 80 ટકાથી વધારે લીઝ ગેરકાયદે હોવાનો ચૌકાવનારો ખુલાસો થયો છે. સમગ્ર મામલે VTV NEWS ટીમ દ્વારા મીઠાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે હવે જોવાનું રહ્યો આવા કૌભાંડીઓને લઈ તંત્ર અને સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે?