અકસ્માતોની યોગ્ય તપાસ માટે વિમાનની જેમ ટ્રેનોમાં બ્લેક બોક્સ લગાવાશે; રેલવે મંત્રાલય દ્વારા પૂર્વોત્તર ઝોનમાં એલસીવીઆર લગાવવાની પરવાનગી પણ આપી દીધી છે.
અકસ્માતોની યોગ્ય તપાસ માટે ટ્રેનમાં બ્લેક બોક્સ લગાવાશે
પ્રથમ તબક્કામાં લગભગ 3,000 ડિવાઈસ લગાવામાં આવશે
લોકો પાયલટ કેમેરા એન્જિન પર નજર રાખશે
અકસ્માતોની યોગ્ય તપાસ અને રિપોર્ટિંગ માટે વિમાનની જેમ ટ્રેનોમાં બ્લેક બોક્સ લગાવવામાં આવી રહ્યા છે. ટ્રેનોના હિસાબે થોડા ફેરફાર સાથે ડિઝાઇન કરવામાં આવી છે. રેલવે મંત્રાલય દ્વારા પૂર્વોત્તર ઝોનમાં LCVR લગાવવાની પરવાનગી પણ આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં લગભગ 3,000 ડિવાઈસ લગાવવમાં આવશે તેમજ તમામ ટ્રેનોમાં લગાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
એન્જિનમાં લગાવાશે LCVR ઉપકરણ
એન્જિનમાં LCVR ફીટ કરવામાં આવશે. જે ટ્રેન અકસ્માતોને રોકવામાં અને મુસાફરીને સરળ બનાવવામાં મદદરૂપ નીવડશે. અનેક અકસ્માતો પછી તપાસ કરી હેલી ટીમને પુરાવા અંગે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જેવી અનેક ઘટનાઓ બાદ રેલ્વેએ એરોપ્લેનની જેમ બ્લેક બોક્સ લગાવવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ એલસીવીઆર ડિવાઇસ તૈયાર કરવામાં આવ્યું છે.
લોકો પાયલટ કેમેરા એન્જિન પર નજર રાખશે
મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે આમાં વીડિયો એનાલિટિક્સ અને ફેશિયલ રેકાગ્નિશન સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર ડેટા તરત જ સ્કેન થઈ જશે. તેમજ તેમણે જણાવ્યું કે, આ ઉપકરણ કંટ્રોલ રૂમ અને ટ્રેન વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરશે અને ટ્રેનની માહિતી કંટ્રોલ રૂમને સુધી પણ પહોંચાડશે. જ્યારે ટ્રેન દોડતી હશે ત્યારે લોકો પાયલટ કેમેરા દ્વારા ટ્રેકની સ્થિતિ તેમજ ટ્રેનનો અવાજ અને એન્જિનની આસપાસ નજર રાખશે. જે સમગ્ર બાબતની વિડિયો-રેકોર્ડિંગ પણ કરવામાં આવશે.
ડીઝલ અને ઇલેક્ટ્રિક બંને એન્જિનમાં ઉપયોગી
ઉપકરણને એક અલગ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, તે ડીઝલ અને ઇલેક્ટ્રિક બંને એન્જિનમાં ફીટ કરી શકાશે. તે ઓડિયો અને વિડિયો બંને મોડમાં કામ કરી શકશે. આનાથી ટ્રેકની સાથે લોકોમોટિવમાં ડ્રાઈવરની ગતિવિધીઓ પર નજર રાખશે તેમજ કટોકટીના સમયમાં જો 30 સેકન્ડ સુધી કોઈ હિલચાલ જોવા ન મળે તો ચેતવણી લાઇટ આપમેળે ચાલુ થઈ જશે. ઑડિયો સૂચના આગામી દસ સેકન્ડમાં આપશે અને આ પછી પણ જો લોકો પાયલોટ કોઈ પગલાં નહીં લે તો એન્જિન આપોઆપ બંધ થઈ જશે.