જો તમારા ઘરમાં કાળીની જગ્યા પર ક્યાંય પણ લાલ કિડિઓ જોવા મળે છે તો સાવધાન થઈ જાઓ.
ભવિષ્યમાં થનાર ઘટનાનો સંકેત આપે છે કીડીઓ
જો આ કીડીઓ દેખાય તો તમારી સુખ-શાંતિમાં થઈ શકે છે વધારો
જાણો શુભ-અશુભ સંકેતો વિશે
અમુક જ્યોતિષોનું માનવું છે કે આપણી આસ-પાસ બનતી ઘટનાઓ સાથે જોડાયેલા સંકેત અમુક સમય પહેલા મળવા લાગે છે જેને ઓળખવા માટે પારખી નજરની જરૂર હોય છે.
કીડીઓનું નિકળવું શું સંકેત આપે છે?
ભવિષ્યમાં થનાર વાતોનો સંકેત એ લોકોને પણ મળે છે જેમની સિક્સ્થ સેન્સ ખૂબ કામ કરે છે. આ સિલસિલામાં વાત હવે ઘરોમાં નિકળનાર કીડીઓની કરીએ તો જો તમારા ઘરમાં કીડીઓ નિકળી રહી છે તો તે તમારા જીવનમાં આવનાર અમુક ઘટનાનો સંકેત આપી રહી છે.
જો તમારા ઘરમાં કાળી કીડીઓ (Black ants) આવી રહી છે તો ખુશ થઈ જાઓ, હકીકતે માનવામાં આવે છે કે આમ થવા પર ભવિષ્યમાં તમારી સુખ-શાંતિમાં વધારો થશે. ત્યાં જ કાળી કીડીઓને તમારા એશ્વર્યને વધારવા સાથે પણ જોડાવામાં આવે છે.
કાળી કીડીઓને ભોજન ખવડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ચોખાથી ભરેલા વાસણમાં કીડીઓ આવી રહી છે તો તે શુભ સંકેત હોય છે. થોડા ક જ દિવસોમાં તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થશે. કાળી કીડીઓ ભૌતિક શુખ વાળી વસ્તુઓ માટે શુભ માનવામાં આવે છે.
લાલ કીડીઓ દેખાય તો થઈ જજો એલર્ટ
જો તમારા ઘરમાં ક્યાંય પણ લાલ રંગની કીડીઓ જોવા મળે તો સાવધાન થઈ જાઓ. લાલ કીડીઓ અશુભ સંકેત માનવામાં આવે છે. ભવિષ્યની પરેશાનિઓ, વિવાદ, ધનનો ખર્ચ થવાનો સંકેત પણ કીડીઓ આપે છે. લાલ કીડીઓ તમારા ઘરે આવી રહી છે તો કોઈ અશુભ કામ થઈ શકે છે.