ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે, આંદોલન છોડીને હવે ઘરે પરત ન જઇ શકીએ કારણ કે ધરણા પર બેસવું મજબૂરી બની ગઇ છે.
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન
નરેશ ટિકૈતે કહ્યું - કયા મોંએ ઘરે પાછા જઇએ
આરોપોથી બચવા માટે બેસવું લોકોની મજબૂરીઃ ટિકૈત
નરેશ ટિકૈતે કહ્યું કે, સરકારે એક નાની વાત માની લીધી હોત તો આ નોબત ન આવત. આજે તેમના જ રાજ્યમાં શું દિવસો થઇ રહ્યા છે સરકારના, કેટલી છાપ ખરાબ થઇ રહી છે, અમે તો એજ વિચારીએ છીએ કે જિદ્દી વલણ છોડે અને સારી રીતે વાત કરે. ત્યારે, તેમના ભાઈ અને રાષ્ટ્રીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે બાંગરમાં કહ્યું છે કે ખેડૂતોની ઘર વાપસી ત્યારે જ થશે જ્યારે ત્રણેય કૃષિ કાયદાઓને કેન્દ્ર સરકાર રદ્દ કરશે.
'કયા મોંએ ઘરે પાછા જઇએ'
ટિકૈતે કહ્યું કે, અમને એ પણ નથી ખપર કે સરકારમાં જવાબદાર કોણ છે. ઓછામાં ઓછા તેઓ સમજે અને પોતાના જિદ્દી વલણ છોડીને એક માહોલ બનાવીને લાવે. સરકાર આમ પ્રજાનો સંપૂર્ણ સાથ નહીં મેળવી શકે. BKUના અધ્યક્ષે વધુમાં કહ્યું કે, ઘરે કયા મોંએ પરત જઇએ? 70-72 દિવસ થઇ ગયા તો ઘરે પરત કયા મોંએ જઇએ, શું લઇને જઇએ, જનતાને સું જવાબ આપીએ?
ટિકૈતે કહ્યું કે, અમે જ્યાંથી ચાલ્યા હતા ત્યાં પહોંચી ગયા. તેમણે કહ્યું કે, અલગ અલગ પ્રકારના આરોપ લાગ્યા છે અને આરોપોથી બચવા માટે બેસવું લોકોની મજબૂરી છે. જણાવી દઇએ કે, કૃષિ કાયદાઓ વિરૂદ્ધ છેલ્લા કેટલાક મહિનાથી ખેડૂતો સતત પ્રદર્શન કરી રહ્યા છે.
કંડેલામાં મહાપંચાયત દ્વારા 5 પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યા જે આ પ્રકારે છેઃ
1. ત્રણેય કાયદા રદ્દ કરવામાં આવે
2. MSP પર કાયદો બનાવવામાં આવે
3. સ્વામીનાથન કમિટીની રિપોર્ટને લાગૂ કરવામાં આવે
4. ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવે
5. 26 જાન્યુઆરીએ પકડવામાં આવેલા ખેડૂતો અને ટ્રેક્ટરોને છુટા કરવામાં આવે, કેસ પાછા લેવામાં આવે.