કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલનની વચ્ચે રાકેશ ટિકૈતે પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા મોટું નિવેદન આપ્યું છે.
પશ્ચિમ બંગાળમાં થવાની છે ચૂંટણી
મમતા બેનર્જીની રાણી લક્ષ્મીબાઈ સાથે કરાઇ તુલના
નંદીગ્રામમાં મહાપંચાયત કરશે ટિકૈત
મહાપંચાયત કરશે ખેડૂતો
કૃષિ આંદોલનને લઈને કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે છેલ્લા ચાર મહિનાથી ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે ખેડૂત નેતાઑએ હવે સીધા જ ચૂંટણીના રાજ્યોમાં જઈને ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે ખુલ્લુ એલાન કરી દીધું છે ત્યારે સરકાર અને ખેડૂત વચ્ચેના ગતિરોધ વચ્ચે રાજકારણને લઈને સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે ખેડૂતોના અગ્રણી રાકેશ ટિકૈતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે મમતા બેનર્જીની તુલના ઝાંસીની રાણી સાથે કરી છે અને હવે ખેડૂત પશ્ચિમ બંગાળમાં જ્યાં મમતા બેનર્જી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં જ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.
દીદીનો ઘા આખા દેશને વાગ્યો : ટિકૈત
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘાયલ થયા છે ત્યારે આ મુદ્દે રાકેશ ટિકૈતે કહ્યું કે પશ્ચિમ બંગાળના સીએમ છે, મમતા બેનર્જી. સાંભળ્યું છે તેમને ઇજા પહોંચાડવામાં આવી છે. આવું ન થવું જોઈએ. તે એક મહિલા છે. આ મહિલા દિવસ મનાવી રહ્યા છો? એક મહિલા ત્યાં મોરચો સંભાળી રહી છે અને તેને ઇજા પહોંચાડીને હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવી છે. ટિકૈતે આગળ કહ્યું કે દીદીને ઘા વાગ્યો છે તે આખા દેશને વાગ્યો છે. ઝાંસીની રાણી એકલી લડી રહી છે. કોઈને ઘાયલ કેમ કરવા જૉઇએ?
ભાજપને વોટ ન આપવા કરાશે અપીલ
ટિકૈતે કહ્યું કે અમે ત્યાં જઈશું અને ત્યાં કોઈ વોટની વાત કરી તો અમે કહીશું કે ભાજપને વોટ ન આપશો, આખો દેશ બરબાદ કરી નાંખ્યો. કોઈ બીજાની તરફ જોઇલો. એમ તો જરૂર કહીશું કે ભાજપને છોડીને ગમે તેને આપજો.
ભારત બંધનું કર્યું છે એલાન
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર સામે આંદોલનના ચાર મહિના 26મી માર્ચે પૂરા થઈ જશે. આ અવસર પર ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જોકે છેલ્લા 2 3 દિવસથી એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે વિવિધ સ્થળો પર ખેડૂતોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
પંજાબમાં રેલવેના પાટા પરથી હટી ગયા ખેડૂતો
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે રેલના પાટા પર ધરણાં કરી રહેલા ખેડૂતોના એક સમૂહે 169 દિવસ બાદ ગુરુવારે આંદોલન સમાપ્ત કરી લીધું છે. અહેવાલો આંસુઆર ખેડૂતોના આંદોલનના કારણે રેલગાડીઓ સ્થગિત થઈ રહી હતી જેના કારણે વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું હતું.
ફરી શરૂ થઈ જશે ટ્રેનો
દેશમાં ખેડૂતો પોતાના આંદોલનને ધાર આપવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ખેડૂતો દ્વારા ચૂંટણીના રાજ્યોમાં જઈને મહાપંચાયત કરવાનો નિર્ણય કરવામાંઆ આવ્યો છે તથા 26મી માર્ચે ભારત બંધનું પણ એલાન કરવામાં આવ્યું છે. જોકે હવે અમૃતસરમાં રેલના પાટા પરથી ખેડૂતો દ્વારા પીછેહટ કરવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે ખેડૂતો અહિયાંથી જતાં રહ્યા છે જેથી હવે ટ્રેનો શરૂ કરવામાં આવશે.
શું કારણ આપ્યું?
કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના નેતા સવિન્દર સિંહે કહ્યું કે તેમણે બધા જ પ્રદર્શનકારીઓની બેઠકમાં અમૃતસર-દિલ્હી માર્ગ પર દેવીદાસપૂરામાં રેલ જામને ખતમ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જંડીયાલા સ્ટેશનની પાસે દેવીદાસપૂરા આવેલું છે જે અમૃતસર રેલવે સ્ટેશનથી 25 કિમી દૂર છે. સવિન્દર સિંહે કહ્યું કે ખેડૂતો માત્ર પેસેન્જર ટ્રેનને રોકી રહ્યા હતા પણ કેન્દ્ર સરકારે તો માલગાડી પણ બંધ કરી દીધી હતી જેના લીધે બધાને ખૂબ નુકસાન થઈ રહ્યું હતું. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંદોલન સમાપ્ત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.