કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં ચાલી રહેલી પાર્ટીની ભારત જોડો યાત્રા હરિયાણા રાજ્યથી પસાર થઈ રહી છે ત્યારે ખેડૂતોનાં નેતા રાકેશ ટિકૈતએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી.
BKU નેતા રાકેશ ટિકૈતે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત
નેતાઓનાં પ્રતિનિધિ મંડળે પણ કરી મુલાકાત
ખેડૂતોને લગતાં વિવિધ મુદાઓ પર કરી ચર્ચા
ભારતીય ખેડૂત યૂનિયનનાં રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે સોમવારે હરિયાણાનાં શાહબાદમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ટિકૈતની સાથે ખેડૂત નેતાઓનાં પ્રતિનિધિ મંડળે પણ કોંગ્રેસ સાંસદ સાથે મુલાકાત કરી અને ખેડૂતોનાં વિવિધ મુદાઓ પર ચર્ચા કરી. આ પહેલા જ્યારે ભારત જોડો યાત્રા ઉત્તરપ્રદેશથી પસાર થઈ રહી હતી ત્યારે કોંગ્રેસે રાકેશ ટિકૈતને યાત્રામાં જોડાવા માટે આમંત્રિત કર્યું હતું. જો કે રાકેશ ટિકૈતે યાત્રામાં જોડાવાથી ઈનકાર કરી દીધેલ હતો.
યાત્રામાં જોડાવાથી કર્યો ઈનકાર
BKUનાં રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે તે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાશે નહીં. તેમણે કહ્યું હતું કે ભારતીય ખેડૂત યૂનિયન BKUનાં કાર્યકર્તાઓ રાહુલ ગાંધીની માર્ચમાં જોડાવા માટે સ્વતંત્ર છે પરંતુ જિલ્લા અધ્યક્ષોનાં પદથી ઉપરનાં પદાધિકારીઓ તેમાં જોડાશે નહીં.
A delgation of farmers including BKU leader Rakesh Tikait met Congress MP Rahul Gandhi in Kurukshetra, Haryana today
યૂપીમાં યાત્રામાં નહોતા જોડાયા ટિકૈત
યાત્રા વિશે પૂછતાં ટિકૈતે કહ્યું હતું કે ભારત જોડો યાત્રામાં જોડાવા નથી જઈ રહ્યો પરંતુ અમે તેમાં જોડાવામાં માટે અમે કોઈને રોકી નથી રહ્યાં. બીકેયૂનાં જે કાર્યકર્તાઓ યાત્રામાં ભાગ લેવા ઈચ્છે છે તે જોડાવા માટે સ્વતંત્ર થે. જો કે જે જિલ્લાધ્યક્ષોનાં સ્તરથી ઉપરનાં પદાધિકારી યાત્રામાં ભાગ નહીં લઈ શકે. અમારૂં એક રાજનૈતિક સંગઠન છે. સંગઠનમાં વિવિધ વિચારધારાવાળા લોકો છે.
નરેશ ટિકૈતે રાહુલ ગાંધીને આપી શુભેચ્છા
BKUનાં પ્રમુખ નરેશ ટિકૈતે પણ આ પહેલાં રાહુલ ગાંધીનાં સમર્થનમાં પત્ર લખી તેમને યાત્રાની સફળતા માટે વધામણી આપી હતી અને કહ્યું હતું કે યાત્રાનાં 100 દિવસો 'વૈચારિક ક્રાંતિ' લઈને આવશે. તેમણે યાત્રાને પ્રેરણાદાયક પણ કહ્યું . તેમણે કહ્યું હતું કે યાત્રાએ ખેડૂતોનાં મુદાઓને પણ ઉજાગર કર્યુ, આ સ્વતંત્ર ભારત માટે પ્રેરણાદાયક યાત્રા બની જશે જેવી મહાત્મા ગાંધીની દાંડી માર્ચે સ્વતંત્રતા પહેલાં દેશને પ્રેરણા આપી હતી.