મમતાએ બેનરજીએ તેમના હરીફ ભાજપના પ્રિયંકા ટેબરેવાલને 58832 વોટથી પરાજય આપીને સીએમની ખુરશી બચાવી લીધી છે. ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે તેમનો પરાજય સ્વીકારીને મમતાને વિજયના અભિનંદન પાઠવ્યાં છે.
નંદીગ્રામમાં અમારી સામે કાવતરુ કરાયું, જનતાએ બનાવ્યું નિષ્ફળ- વિજય બાદ મમતાનું નિવેદન
ભવાનીપુરમાં વિજય બાદ મમતાએ બેનરજીએ લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે જનતાએ કાવતરુ નિષ્ફળ બનાવ્યું છે. મમતાએ કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અમારી સામે કાવતરુ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે નંદીગ્રામમાં પણ અમારી સામે કાવતરુ કરવામાં આવ્યું હતું. આ મામલો કોર્ટમાં હોવાથી હું કંઈ ઝાઝુ કહેવા માગતી નથી પરંતુ અહીં જે કંઈ પણ થયું તેને લોકોએ જોયું છે.
58 હજારથી વધારે વોટથી જીત્યા મમતા બેનેરજી
ઉલ્લેખનીય છે કે ભવાનીપુર બેઠક પ્રતિષ્ઠાનો વિષય બની હતી. આ પેટાચૂંટણીમાં મમતા બેનરજીને કુલ 84709 વોટ મળ્યાં હતા. ભાજપના પ્રિયંકા ટિબરેવાલને ફક્ત 26320 વોટ મળ્યાં હતા જ્યારે સીપીએમ ઉમેદવાર શ્રીજીબને ફક્ત 4201 વોટ મળ્યાં હતા.
પરાજયને માથે ચડાવું છુ-પ્રિયંકા ટિબરેવાલ
સીએમ મમતા સામે હારેલા ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે જણાવ્યું કે હું પૂરી નમ્રતાથી મારો પરાજય સ્વીકારીને સીએમ મમતા બેનરજીને અભિનંદન પાઠવું છું.