રાજકોટના ગોંડલમાં ભાજપના શક્તિ પ્રદર્શનનું આયોજન, રોડ શો માં મોટી સંખ્યામાં લોકોએ કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ કર્યો
ગોંડલમાં BJPના શક્તિ પ્રદર્શનમાં જોવા મળી ભીડ
આ પ્રર્દશનમાં મંત્રી અરવિંદ રૈયાણી પણ ઉપસ્થિત રહ્યાં
ભીડમાં ઉપસ્થિત નેતાઓ અગાઉ સંક્રમિત થઈ ચૂક્યા છે
સંક્રમણની વચ્ચે એકઠી થતી ભીડ જોખમી નિવડી શકે છે
એક તરફ રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસોમાં થઈ રહેલા વધારાના કારણે રાજ્ય સરકારે સામાજિક-રાજકીય મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. બીજી બાજુ જાણે નેતાઓ પોતાના સત્તા ટકાવી રહેવા માટે કંઈ એવુ કરતાં હોય છે જે સામાન્ય જનતાને ભારે પડી શકે છે. આવું જ કંઈ આજે રાજકોટના ગોંડલામાં જોવા મળ્યું હતું. ગોંડલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આશાપુરા ચોકડીથી માર્કેટિંગ યાર્ડ સુધી બાઈક રેલી યોજાઈ હતી. મહત્વનું એ છે કે, આ શક્તિ પ્રદર્શનમાં મંત્રી અરવિંદ રેયાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
સંક્રમણની વચ્ચે એકઠી થતી ભીડ જોખમી નિવડી શકે છે
ઉલ્લેખનીય છે કે, આગામી દિવોસોમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે. જેને લઈને ગોંડલમાં પૂર્વ MLAની આગેવાનીમાં એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ કોરોનાના સંક્રમણની કહેર વચ્ચે પણ નેતાઓ દ્વારા રાજકીય તાયફાઓ કરતાં રહેતા હોય છે.મહત્વનું છે કે,આ શક્તિ પ્રદર્શનમાં ભાજપના નેતાઓએ ભીડ ભેગી કરીને કોરોનાની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. આથી વિશેષ ભાજપના આ શક્તિ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેલા કેટલાક નેતાઓ પહેલા પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યાં છે.
નેતાઓ માટે લોકોના મનમાં સળગતાં પ્રશ્નો
- કોરોનાના વધતા કેસ બાદ નેતાઓ ગંભીર કેમ નથી ?
- સામાજિક-રાજકીય મેળાવડા પર પ્રતિબંધ છતાં ભીડ એકઠી કેમ કરી ?
- 3 હજારથી વધુ દૈનિક કેસ આવે ત્યારે આવા શક્તિપ્રદર્શનની શું જરૂર છે ?
- શું નેતાઓને કોરોના ગાઈડલાઈન નથી લાગૂ પડતી ?
- રાજ્ય સરકાર મેળાવડા રદ કરી રહી છે તે નથી દેખાતુ?
- સ્થાનિક નેતાઓ કોરોનાની ગંભીરતા કેમ નથી સમજતા?
- વિવિધ કાર્યક્રમોના નામે ભીડ એકઠી કેમ કરો છો?