ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં જ્ઞાતિ -જાતિનો અદભૂત સમન્વય.ગ્રામ્ય વિસ્તારોને આપાઈ અગ્રતા.સામાજિક-આથિક વિકાસને મહતા આપતું રચાયું મંત્રીમંડળ
નવા મંત્રી મંડળની નવલી વાતો
જ્ઞાતિ -જાતિના બેસાડ્યા સમીકરણ
તદન નવા ચહેરા સાથે ગ્રામીણ વિસ્તારને અગ્રતા
ગુજરાત સરકારનું નવું મંત્રી મંડળ રચાઈ ગયું છે.રાજ્યના શહેરો સાથે ગ્રામીણ વિસ્તાર અને ખાસ કરીને જિલ્લા કક્ષાએ પણ પ્રતીનીધીત્વ અપાયું છે. નો રીપીટ થિયરી મુજબ સરકાર-સંગઠન સાથે કામ કરી ચુકેલા ત્રણ જ મંત્રીઓ નવા મંત્રી મંડળમાં એવા છે જેમણે અલગ-અલગ જવાબદારીઓ વહન કરી છે. જેમાં વડોદરાના રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણી અને લીબડીના પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા. આ સિવાયને બાદ કરતા તમામ ચહેરા નવા છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ નવા મંત્રી મંડળની રચનામાં જ્ઞાતિ-જાતિના સમીકરણ સાચવ્યા છે.
કેવું છે સમીકરણ ? પાટીદાર
ગુજરાતના નવા મંત્રી મંડળમાં પાંચ લેઉવા પટેલનો સમાવેશ કરાયો છે. જેમાં ત્રણ રાજ્ય કક્ષાના અને ત્રણ કેબીનેટ કક્ષાના મંત્રીઓ છે જેમાં ભાવનગરથી જીતું વાઘાણી ( કેબીનેટ -શિક્ષણ વિભાગ) મહેસાણા વિસનગરથી ઋષિકેશ પટેલ (કેબીનેટ- આરોગ્ય વિભાગ ) રાઘવજી પટેલ (કેબીનેટ - કૃષિ વિભાગ-પશુ પાલન ) રાજકોટના અરવિંદ રૈયાણી ( રાજ્ય કક્ષા -વાહન વ્યવહાર મોરબીથી બ્રિજેશ મેરજા (રાજ્ય મંત્રી - શ્રમ રોજગાર-ગ્રામીણ વિકાસ ) ને સુરત કતારગામના વિનોદ મોરડિયા (રાજ્યકક્ષા - શહેરી વિકાસ /ગૃહ નિર્માણ )નો સમાવેશ કરાયો છે.
OBC ને સ્થાન.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં OBC સમુદાયને પણ પ્રાધાન્ય અપાયું છે.જેમાં એક કેબીનેટ કક્ષાના અને ત્રણ મંત્રીઓને રાજ્ય કક્ષાનો પ્રભાર સોંપાયો છે. સુરત પશ્ચિમના પુર્ણેશ મોદીને કેબિનેટમાં માર્ગ મકાન અને વાહન વ્યવહાર ,પ્રવાસન, યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડડયન જેવા વિભાગ સોંપાયા છે. તો મહેમદાબાદના અર્જુનસિંહ ચૌહાણને કેબિનેટમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણનો હવાલો અપાયો છે. નિકોલના જગદીશ પંચાલને રાજ્ય મંત્રી તરીકે ,કૂટીર ઉદ્યોગ,સહકાર, ઉદ્યોગ,વન -પર્યાવરણ વિભાગની જવાબદારી સોપાઈ છે.તો પ્રાંતિજના ગજેન્દ્રસિંહ પરમારને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતોની જવાબદારી સોંપાઈ છે.
SC/STને મંત્રી મંડળમાં સ્થાન
ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં વડોદરાના મનીષાબેન વકીલને(રાજ્યકક્ષાનાં મંત્રી -મહિલા અને બાળ કલ્યાણ -સામજિક ન્યાય અધિકારીતા સ્વતંત્ર હવાલો ) તો ગણદેવીના નરેશ પટેલ (કેબીનેટ કક્ષામાં આદિજાતી વિકાસ અન્ન અને નાગરિક પૂરવઠા/ગ્રાહકોની બાબતો )નો હવાલો સોંપાયો છે. અમદાવાદ અસારવાના પ્રદીપ પરમારને કેબીનેટ કક્ષામાં સામાજિક ન્યાય અને અધિકારીતા ની જવાબદારી સોંપાઈ છે. તો કપરાડાના જીતું ચૌધરીને રાજ્ય કક્ષાએ કલ્પસર અને મત્સ્યઉદ્યોગ( સ્વતંત્ર હવાલો ),નર્મદા જળ સંપતિ અને પાણી પૂરવઠા જેવી બાબતોનો વિભાગ સોંપાયો છે.મોરવા હડફના નિમિષા બહેન સુથારને રાજ્ય કક્ષાએ આદિજાતી વિકાસ,આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવી બાબતોનો પ્રભાર સોંપાયો છે. તોસંતરામ પૂરના કૂબેર ડીડોરને ઉચ્ચ અને તકનીકી શિક્ષણ ,વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોની જવાબદારી સોંપાઈ છે.
બ્રાહ્મણ બે,ક્ષત્રિય બે, ત્રણ કોળી પટેલ અને એક જૈન
નવા મંત્રી મંડળમાં બે બ્રાહ્મણ,બે ક્ષત્રિય અને ત્રણ કોળી પટેલનો સમાવેશ કરાયો છે,જ્યારે જૈન સમાજમાંથી એકણે મંત્રી બનાવાયા છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદીને કેબીનેટ કક્ષાએ મહેસૂલ,આપતી વ્યવસ્થાપન, કાયદો અને ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતોની જવાબદારીઓ સોંપાઈ છે.તો પારડીના કનુ દેસાઈને કેબિનેટમાં સ્થાન મળતા નાણા,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ જેવા મહત્વના ખાતા સોંપાયા છે.
ક્ષત્રિય સમાજમાંથી પ્રતિનિધિત્વ કરતા લીબડીના કિરીટ સિંહ રાણા અગાઉ મંત્રી પણ રહી ચુક્યા છે. તેઓને વન -પર્યાવરણ,કલાયમેટ ચેન્જ,છાપકામ અને સ્ટેશનરી સોંપાયા છે.તો કાંકરેજના અન્ય એક ક્ષત્રિય કિર્તીસિંહ વાઘેલાને રાજ્ય કક્ષાએ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણની જવાબદારી સોંપાઈ છે.
કોળી સમૂદાયમાંથી ઓલપાડના મુકેશ પટેલને રાજ્ય કક્ષાએ કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સનો હવાલો સોંપાયો છે તો ભાવનગરના મહુવાના રાઘવજી મકવાણાને સામાજિક ન્યાય અને અધિકારીતાની જવાબદારી સોંપાઈ છે.તો જૂનાગઢ નજીક કેશોદના દેવાભાઈ માલમને રાજ્ય કક્ષાએ પશુપાલન અને ગૌ સંવર્ધન જેવો વિભાગ સોંપાયો છે.
એક માત્ર જૈન
ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં એક માત્ર જૈનનો સમાવેશ કરાયો છે.સરકારમાં સૌથી યુવા વયના મંત્રી તરીકે સૌથી મોટું અને મહત્વનું પદ પણ મળ્યું છે. સુરતના મજુરાના ધારાસભ્ય અને સી.આર પાટીલના અત્યંત વિશ્વસ્ત એવા હર્ષ સંઘવીને રાજ્ય કક્ષાએ ગૃહ વિભાગ ( સ્વતંત્ર હવાલો ) મળ્યો છે.સાથે રમત-ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ જેલ-સરહદી સુરક્ષા પોલીસ આવાસ જેવા મહત્વના ખાતા સોંપાયા છે.