ભારતીય જનતા પાર્ટીએ મંગળવારના રોજ જણાવ્યું કે જો NCP અને કોંગ્રેસ સરકાર છોડવાની ધમકી આપી શિવસેના પર મુસ્લિમ ક્વોટા આપવાનું દબાણ કરે છે તો મહારાષ્ટ્ર સરકારને અમે મદદ કરીશું. NCP અને કોંગ્રેસે કહ્યું કે સરકાર શિક્ષણમાં મુસલમાનોને 5 ટકા અનામત આપશે.
મહારાષ્ટ્રમાં સરકારને મુસ્લિમ અનામત મુદ્દે ભાજપે મદદ કરવાની બતાવી તૈયારી
NCP અને કોંગ્રેસે સરકાર છોડવાની આપી હતી ધમકી
NCP-કોંગ્રેસે કહ્યું હતું કે સરકાર શિક્ષણમાં મુસલમાનોને 5 ટકા અનામત આપશે
જો કે રાજ્યના મુખ્યમંત્રી તેમજ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું કે મુસ્લિમ અનામતને લઇને પ્રસ્તાવ તેમની પાસે આવ્યો નથી અને જ્યારે આવશે ત્યારે તેની માન્યતા ચકાસવામાં આવશે.
ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુગંતીવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેમની પાર્ટીનું માનવું છે કે અનામત ધર્મના આધાર પર આપવામાં આવી શકે નહીં. રાજ્યના પૂર્વ નાણા મંત્રીએ કહ્યું, શિવસેનાએ જે વલણ અપનાવ્યું છે તે સાચુ છે, તેઓ બંધારણની વાત કરી રહ્યાં છે.
બંધારણ ધર્મના આધાર પર અનામત આપતું નથી. જો ધર્મના આધાર પર જ અનામત આપવામાં આવતું હોય તો શિખ અને ખ્રિશ્ચિયન લોકોની શું ભુલ છે?
ભાજપ નેતાએ કહ્યું કે કેન્દ્ર સરકારે પહેલેથી જ આર્થિક રીતે પછાત વર્ગ માટે 10 ટકા અનામતની વ્યવસ્થા કરી છે જેમાં મુસલમાન અને ખ્રિશ્ચિયન બંનેનો સમાવેશ થાય છે.
ભાજપ નેતાએ કહ્યું કે મને લાગે છે કે ઉદ્ધવ ઠાકરેએ સાચુ વલણ અપનાવ્યું છે. શિવસેના સાથે અમારુ ગઠબંધન સૈદ્ધાંતિક પર આધારિત હતું. જો કોંગ્રેસ અને NCP આ મુદ્દા પર દબાણ બનાવી રહ્યાં છે તો શિવસેનાએ ચિંતા કરવાની જરૂર નથી.
ભાજપ નેતા મુગંતીવારે કહ્યું કે જો તેઓ સરકાર સાથે ગઠબંધન તોડી પણ નાંખે છે તો અમે આ મુદ્દા પર સરકારને સાથ આપીશું. ઉલ્લેખનીય છે કે લઘુમતી મામલાના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે ગત અઠવાડિયે વિધાનસભામાં જણાવ્યું હતું કે સરકાર કાયદો બનાવી મુસ્લિમોને 5 ટકા અનામત ઉપલબ્ધ કરાવશે.