ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ૨૦૨૨ની વિધાનસભા માટે 182 માંથી 182 બેઠકો જીતવાનું લક્ષયાંક રાખ્યું છે. ત્યારે હવે ૨૦૨૨માં તમામા બેઠકો સર કરવા ભાજપ દ્વારા માઈક્રોપ્લાનોગ કરવામાં આવ્યું છે. તેમજ ૨૦૧૭માં ગુમાવેલી બેઠકો મત કેવી રણનીતિ સાથે કામ કરી રહ્યા છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વારવાર વિધાનસભાની 182 માંથી 182 બેઠકો મેળવાની વાત કરી રહ્યા છે, રાજ્યમાં જ્યાં પણ કાર્યક્રમ હોય કે સમાંરભ હોય ત્યાં 182 બેઠકો માંથી 182 બેઠકો જીતાવાની વાત કરી રહી છે.આ જીત માટે ભાજપ પ્રજા સુધી પહોચવા તેમજ કોરોના કાળમાં સરકારની ખરડાયેલી છબી સુધારવા માટે નેતૃત્વ પરિવર્તન કરીને લોકમાનસ પર સરકારની છબી બદલવાની મહત્વનો નિણર્ય કરવામાં આવી રહ્યો છે.તેમજ નવી આવેલી ભુપેન્દ્ર સરકાર પણ દર ચાર દિવસે મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવી રહ્યો છે.તેમજ 2017માં ભાજપ જે બેઠકો પર પરાજય થયો તેના કારણો શોધીને કામે લાગી ગયું છે.
ત્યારે ભાજપે ૨૦૧૭માં જે બેઠકો ગુમાવી હતી તેના કારણો શોધીને રણનીતિ હાથ ધરી છે. આપ એન્ટ્રીને ભાજપ તમામ રીતે પારખી રહ્યું છે પણ માનવામાં આવી રહ્યું છે આપ આવતા ભાજપને નહીં પણ કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું છે. જે ગાંધીનગર મનપાની ચૂંટણી પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે.
શું છે ભાજપની આગામી વિધાનસભા માટે રણનીતિ
- ભાજપ પહેલા ૨૦૧૭માં વન બુથ ટેન યુથ ફોર્મ્યુલા કર્યો બદલાવ.
- વન બુથ ટેન યુથ ફોર્મ્યુલા સ્થાને એક પેજ ૫ પરિવાર સાથે રણનીતિ સાથે હાથ ધરી કામગીરી.
- ભાજપ ૧૮૨ માંથી ૧૮૨ બેઠકો જીતવા માટે પેજ સમિતિ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
- ભાજપે ૧૮૨ બેઠકોમાં ૯૦ ટકા બુથ સમિતિ કામપૂર્ણ કરી દીધું.
- ભાજપે જ્યાં જ્યાં બેઠકો ગુમાવી ત્યાં કાર્યકરોના મેળવી રહી છે ફીડ બેક.
- ભાજપે જે બુથના ઓછુ મતદાન થયું તે બુથને પેજ સમિતિ દ્વારા મજ્બુત કરશે
- ભાજપ આગેવાનોના પ્રવાસ થકી ફરી રણનીતિ મુજબ આગળ વધશે
- ૨૦૧૭માં આતરિક પ્રશ્નો કારણે હાર થેયલા પશ્નો નિરાકરણ કરવાની પણ હાથ ધરી કામગીરી.
- રાજ્ય સરકારની યોજના પ્રચાર પ્રસાર તેમજ સરકારી યોજનાની લોક સપર્ક થકી જાગૃતી
- ૨૦૧૭માં પરિણામો માઈન્સ બુથ માઈક્રોમેનેજમેંન્ટ પણ ધર્યું હાથ.
- ૨૦૧૭ની હારેલી બેઠકો કોગેસના ઉમેદવાર કેવી રીતે જીત્યા એનાલીસીસ કરવામાં આવી રહ્યું છે.
- માઈન્સ બુથમાં પ્લસ કેવી રીતે થાય તે અગે પણ ચોક્કસ નેતાઓને કામગીરી પણ સોપવામાં આવી
રાજ્યની મીની વિધાનસભામાં એટલે કે સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપે પેજ સમિતિ થકી ધાર્યા પરિણામ મેળવ્યા છે. પરતું વર્તમાન pm જ્યારે રાજ્યના તત્કાલીન cm હતા ત્યારે પણ કોગેસના cm માધવસિંહ સોલંકીનો વિધાનસભામાં 150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક પાર થયો નથી. ત્યારે ભાજપે ગુમાવેલી ૨૦૧૭માં ૮૩ બેઠકો પર વિશેષ કામગીરી સાથે ૧૮૨ માંથી ૧૮૨ બેઠકો જીતવા માટે કામગીરી ભાજપ પુરજોશમા કરી રહી છે.