લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દેશનાં બંને દિગ્ગજ પક્ષોએ કમરકસી છે. જ્યારે ભાજપાએ ચૂંટણી જીતવાનો મેગા પ્લાન બનાવ્યો છે. જ્યારે આજે દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમથી વીડિયો કોન્ફરન્સથી પીએમ મોદી દેશવાસીઓને સંબોધન કરશે. જેમાં મેં ભી ચોકીદાર અભિયાનને સમર્થન આપનારા દેશભરના હજારો લોકો સામેલ થશે.
પીએમ મોદી આજે મેં ભી ચોકીદાર અભિયાન અંતર્ગત દેશવાસીઓને સંબોધન કરશે. દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમથી વીડિયો કોન્ફરન્સથી પીએમ મોદી દેશવાસીઓને સંબોધન કરશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સથી ભાજપના કાર્યકર્તાઓ અને સમાજના વિવિધ વર્ગોના લોકોને સંબોધન કરશે. જેમાં મેં ભી ચોકીદાર અભિયાનને સમર્થન આપનારા દેશભરના હજારો લોકો સામેલ થશે.
વીડિયો કોન્ફરન્સ માટે દેશભરમાં 500થી વધુ જગ્યાએ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો ગુજરાતના પણ 50 કાર્યાલયો સાથે સંપર્ક સાંધશે. તમામ જગ્યાએ પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ, પદાધિકારીઓ અને કેન્દ્રીય મંત્રી પણ હાજર રહેશે. કાર્યક્રમમાં ભાગ લેનારાઓનું રજીસ્ટ્રેશન પણ કરાવી દેવાયુ છે.
.
તમને જણાવી દઇએ કે, લોકસભા ચૂંટણીને લઇને દેશના બંને પક્ષોએ કમરકસી છે, બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જ્યારે આજે ભાજપા દ્વારા મેગા પ્લાન બનાવવામાં આવ્યો છે. પીએમ મોદી આજે મેં ભી ચોકીદાર અભિયાન અંતર્ગત દેશવાસીઓને સંબોધન કરશે. જેમાં વીડિયો કોન્ફરન્સ માટે દેશભરમાં 500થી વધુ જગ્યાએ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લાગી રહ્યું છે કે, આ વખતે 'ચોકીદાર ચોર હૈ' અને 'મેં ભી ચોકીદાર'માં લડાઇ આરપારની હશે