ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, મહેસાણા તેમજ પાટણ જીલ્લાની બે વિધાનસભાની સીટોની ટિકિટ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં યુવાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
ગુજરાતનાં સૌથી મોટા જીલ્લો તરીકે બનાસકાંઠા છે
ભાજપ દ્વારા બનાસકાંઠાની તમામ બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા
ડીસામાંથી ભાજપે સૌથી યુવા નેતા ગૌરધનભાઈ માળીને ટિકિટ આપી
સ્વચ્છ ભારત મિશનથી સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં હતા ગૌરધનભાઈ માળી
બનાસકાંઠાની સીટો
વડગામ
ચૂંટણી પંચે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરી દીધી છે. ત્યારે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે ભાજપે વડગામ બેઠક માટે મણિલાલા વાઘેલાને ટિકિટ આપી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા હાલના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને રીપીટ કરે તેવી શક્યતાઓ છે.
ભાજપમાં જોડાતા પહેલા ગ્રામજનો અને સરપંચો સાથે ચર્ચા કરી
2017 માં મણિલાલ વાઘેલાને કોંગ્રેસ દ્વારા ટિકિટ ન આપતા તેઓએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતા પહેલા તેઓએ તે વિસ્તારના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ સરપંચો અને ગ્રામજનો સાથે ચર્ચા કર્યા બાદ જ તેઓ ભાજપમાં જોડાયા હતા અને આ વખતે વડગામ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે.
વાઘેલાએ કોંગ્રેસને દિશાહીન પાર્ટી ગણાવી
ભાજપમાં જોડાયા બાદ મણીલાલ વાઘેલાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે કોંગ્રેસ દિશાહીન પાર્ટી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં કાર્યકરોની ફરિયાદ સાંભળનાર કોઈ નથી. ત્યારે વડગામ બેઠક પરથી મણીલાલ વાઘેલાને ભાજપે ઉમેદવાર જાહેર કરતા આ બેઠક પર ચૂંટણીનો ખરાખરીનો જંગ જામશે.
ગત ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો પર જીત મેળવી હતી
ગત ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં 150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ તે માત્ર 99 બેઠકો જ જીતી શકી હતી. વર્ષ 2017 માં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીને 2012 કરતા 1.15% વધુ મત મળ્યા હતા. જોકે, બાદમાં કોંગ્રેસના 14 ધારાસભ્યોએ પક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાયા હતા.
વાવ
2017 ની ચૂંટણીમાં વાવ બેઠક પરથી કોંગ્રેસ દ્વારા ગત વર્ષે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. ત્યારે તેમના સામે ચૌધરી સમાજમાં પ્રભુત્વ ધરાવતા શંકર ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે ગેનીબેન સામે શંકર ચૌધરીની હાર થવા પામી હતી. ત્યારે આ વખતે વાવ બેઠક પરથી ભાજપ દ્વારા ઠાકોર સ્વરૂપજીને ટિકિટ આપતા ચૂંટણી જંગ જામશે.
થરાદ
થરાદ બેઠક પર 2017 માં ભાજપ દ્વારા પરબતભાઈ પટેલને ટિકિટ આપી હતી. જ્યારે સામે પક્ષે કોંગ્રેસ દ્વારા ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે ગુલાબસિંગ રાજપૂતે ભાજપના સિનિયર નેતા પરબતભાઈ પટેલને 11000 વોટથી હરાવ્યા હતા.આ વખતે ભાજપ દ્વારા શંકર ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે.
દાંતા
દાંતા વિસ્તાર આદિવાસી વિસ્તાર હોઈ ત્યાં ભાજપ દ્વારા લઘુભાઈ પારઘીને ટિકિટ આપી છે. પાલનપુર
પાલનપુર બેઠક પર બ્રાહ્મણ મતદારોનું વર્ચસ્વ હોઈ ભાજપ દ્વારા બ્રાહ્મણ ઉમેદવાર અનિકેતભાઈ ઠાકરને મેદાનમાં ઉતાર્યા છે. ડીસા
સૌથી નાની વયે રાજકારણમાં પ્રવેશ કરનાર અને ડીસા નગરપાલિકાના પ્રમુખ બનીને ડીસા શહેરનાં વિકાસની દોર સંભાળનાર પ્રવિણ ગૌરધનભાઈ માળી. વડાપ્રધાનનાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડીસા શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે તેઓએ અથાગ મહેનત કરી ડીસા શહેરને સ્વચ્છ બનાવ્યું હતું.
સિધ્ધપુર
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા બળવંતસિંહ રાજપૂતને સિધ્ધપુર બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે. ત્યારે બળવંતસિંહ રાજપૂતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમે વિકાસની રાજનીતિ પર કામ કરીશું. તેમજ ભાજપે મને સેવા કરવાનો મોકો આપ્યો છે. ત્યારે હું આગામી ચૂંટણીમાં જંગી મતથી જીતીશ..
ચાણસ્મા
ચાણસ્મા વિધાનસભાને ભાજપની સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. ચાણસ્મા બેઠક પરથી છેલ્લા ઘણા સમયથી દિલીપજી ઠાકોર જ વિજયી બન્યા છે. ત્યારે ભાજપ દ્વારા ચાણસ્મા બેઠક પરથી તેઓને ટિકિટ આપતા તેઓએ તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ મને આઠમી વખત ટિકિટ આપીને મારા પર વિશ્વાસ મુક્યો છે. છેલ્લા 15 વર્ષથી મારા વિસ્તારના લોકોએ દુષ્કાળ જોયો નથી. મારા વિધાનસભા મત વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.