વિપ્લબ દેવના રાજીનામા બાદ માણિક સાહાનું નામ ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે નક્કી કરાયું છે.
ત્રિપુરાના મુખ્યમંત્રીનું નામ જાહેર થયું
માણિક સાહા બનશે મુખ્યમંત્રી
માણિક સાહા મુળ કોંગ્રેસી
2016માં કોંગ્રેસ છોડીને ભાજપમાં થયા હતા સામેલ
વિપ્લબ દેવે આપ્યું છે રાજીનામું
વિપ્લબ દેવ બની શકે છે પ્રદેશાધ્યક્ષ
વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા ત્રિપુરામાં રાજકીય ઉથલપાથલ મચી છે. બિપ્લવ દેબેના રાજીનામા બાદ ભાજપે માણિક સાહાને મુખ્યમંત્રી બનાવ્યાં છે. સવારમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર બિપ્લવ દેબે નવા મુખ્યમંત્રીને અભિનંદન આપ્યાં છે.
મુખ્યમંત્રી બનતા માણિક સાહાની રાજ્યસભાની બેઠક ખાલી પડશે, દેબેને રાજ્યસભામાં મોકલી શકે ભાજપ
માણિક સાહાને હજુ એક મહિના પહેલા જ રાજ્યસભા સાંસદ બનાવાયા હતા. તેમના મુખ્યમંત્રી બનવાથી હવે રાજ્યમાં રાજ્યસભાની પણ એક બેઠક ખાલી પડશે. બિપ્લવ દેબને આ બેઠક પરથી રાજ્યસભામાંથી મોકલવામાં આવશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
Congratulations and best wishes to @DrManikSaha2 ji on being elected as the legislature party leader.
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેબે શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને રાજીનામું સોંપી દીધું છે. તેઓ શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા, ત્યારબાદ તેમણે પદ છોડ્યું હતું. સાથે જ સાંજે ત્રિપુરાના નવા સીએમનો ચહેરો પણ નક્કી થઇ ગયો છે. ડો.માણિક સાહા આગામી મુખ્યમંત્રી હશે. સાથે જ માહિતી આવી રહી છે કે બિપ્લવ દેબને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. ત્રિપુરામાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.
Manik Saha will be the new Chief Minister of Tripura, Union Minister & BJP central observer, Bhupender Yadav tweets pic.twitter.com/23QMfdn4if
જાણો કોણ છે માણિક સાહા
માણિક સાહા મૂળ કોંગ્રેસના છે અને 2016માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા
2020માં માણિક સાહા ત્રિપુરા ભાજપના અધ્યક્ષ બન્યા હતા.
ત્રિપુરામાં 2021માં યોજાયેલા 30 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીતનો તમામ જશ માણિક સાહાને આપવામાં આવ્યો હતો.
श्री @DrManikSaha2 जी को त्रिपुरा भाजपा विधायक दल का नेता चुने जाने की बहुत-बहुत बधाई। मुझे पूर्ण विश्वास है कि आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के मार्गदर्शन और आपके नेतृत्व में त्रिपुरा विकास की नई ऊंचाइयों पर पहुँचेगा।#Tripurapic.twitter.com/b6qKAKPd5m
બિપ્લવ દેબેને ત્રિપુરા ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શક્યતા
સવારમાં સીએમ પદેથી રાજીનામું આપનાર બિપ્લવ દેબેને ભાજપ ત્રિપુરા પ્રદેશાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી શકે છે. બિપ્લવ દેબે મીડિયાને જણાવ્યું કે પાર્ટીનો નિર્ણય તેમના માટે સર્વોપરિ છે. હાઈકમાન્ડના કહેવાથી તેમણે પોતાનું પદ છોડી દીધું છે. મારા જેવા કાર્યકરે સંસ્થા માટે કામ કરવાની જરૂર છે. જો કે નવા સીએમ કોણ બનશે તે સવાલનો તેમણે કોઇ જવાબ આપ્યો નથી.
ભાજપને ફરી સત્તામાં લાવવાની પ્રાથમિકતા
બિપ્લવ દેબે કહ્યું કે અમારી પહેલી પ્રાથમિકતા ભાજપને ફરીથી સત્તામાં લાવવાની છે. આપણે ત્રિપુરામાં ભાજપને લાંબા સમય સુધી સત્તામાં રાખવાની જરૂર છે. જ્યાં સુધી આપણી પાસે એક મજબૂત સંગઠન છે. અમે સરકારમાં છીએ અને તે સૌથી મહત્વપૂર્ણ છે.