બે દિવસીય કાર્યકારીણીમાં ભાજપ ભવિષ્યની રણનીતી નક્કી કરશે.બેઠક પહેલા PM મોદી રોડ શો કરશે. ત્યારે દિલ્હી પોલીસ દ્વારા રોડ શો ને લઈને એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે
બે દિવસીય કાર્યકારીણીમાં ભાજપ ભવિષ્યની રણનીતી નક્કી કરશે
સોમવારે દિલ્હીમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનું આયોજન
સંસદ સ્ટ્રીટથી સભા સ્થળ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાશે
આ વર્ષે થનાર નવ વિધાનસભા ચૂંટણી અને 2024 માં લોકસભાની ચૂંટણીને લઈને રાજનીતિ વચ્ચે સોમવારે દિલ્હીમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકના એજન્ડા સ્પષ્ટ છે જેમાં ભાજપ વધુ જનમત મેળવવાની તૈયારીઓ કરશે. પાર્ટી એ વિષયો પર ધ્યાન કેન્દ્રીત કરશે જે જનતા ઉપયોગી હોય અને તેને પૂરા કરી શકાય. તેમજ મુસ્લિમ મહિલાઓની સામાજીક સુરક્ષા પર અલગથી ચર્ચા કરવામાં આવશે.
भारतीय जनता पार्टी की 'राष्ट्रीय कार्यकारिणी बैठक' 16 जनवरी से 17 जनवरी तक एनडीएमसी कन्वेंशन सेंटर, नई दिल्ली में होगी।
સંસદ માર્ગ પર કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરશે
ગુજરાતમાં અભૂતપૂર્વ જીતે પાર્ટીમાં આત્મવિશ્વાસ ભરી દીધો છે ત્યારે કારોબારી બેઠકની શરૂઆત એ જ ઉત્સાહ સાથે થશે જ્યારે સભાના સ્થળ પહેલા જ સંસદ માર્ગ પર કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે.
દિલ્હી પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો
ત્યારે જણાવવામાં આવી રહ્યું છે કે રોડ શો માં કાર્યકર્તાઓની ભીડ હશે અને આવી સ્થિતિમાં સંસદ સ્ટ્રીટથી સભા સ્થળ એનડીએમસી સેન્ટર સુધી વડાપ્રધાનનો રોડ શો યોજશે. દિલ્હી પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે અને એડવાઈઝરી જારી કરી છે.
આ વિષયો પર ચર્ચા કરવામાં આવશે
બેઠક વિશે માહિતી આપતાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ જણાવ્યું કે સેવા, સંગઠન અને સમર્પણ, વિશ્વ ગુરુ ભારત, સુશાસન પ્રથમ, મુસ્લિમ મહિલાઓની સામાજિક સુરક્ષા, વંચિતોનું સશક્તિકરણ, સમાવેશી અને મજબૂત ભારત અને સંસ્કૃતિના વાહકો જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
વિશ્વ ગુરુ ભારત થીમ હેઠળ જણાવવામાં આવશે કે વડાપ્રધાન મોદીના પ્રયાસોને કારણે યોગને આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે. રશિયા-યુક્રેન કટોકટી દરમિયાન, ઓપરેશન ગંગા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું અને માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ અન્ય દેશોમાંથી પણ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કોરોના સમયે આ રસી અન્ય દેશોને પણ આપવામાં આવી હતી. વૈશ્વિક કટોકટી હોવા છતાં ભારત કેવી રીતે વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની ગયું.
સુશાસનની થીમ હેઠળ છેલ્લા 8 વર્ષમાં ઉત્તરપૂર્વમાં શાંતિ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની સ્થાપના , લાયસન્સ રાજ નાબૂદ, વેપારમાં સરળતા, સંસ્કૃતિના વાહકની થીમ હેઠળ, કાશી અને ઉજ્જૈન મંદિરોનું નવીનીકરણ, સ્ટેચ્યું ઓફ યુનિટી, પ્રાચીન સ્મૃતિઓની જાળવણી જેવા વિષયો પર પ્રચાર-પ્રસાર કરવાનું કહેવામાં આવશે.
મુસ્લિમ મહિલાઓની સામાજિક સુરક્ષા પર અલગ ચર્ચાનું વિશેષ રાજકીય મહત્વ છે. મુસ્લિમ મહિલાઓ દ્વારા ટ્રિપલ તલાકમાંથી મુક્તિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પદાધિકારીઓને વિવિધ વિસ્તારોમાં લઘુમતીઓ માટે થઈ રહેલા કામોથી પણ વાકેફ કરવામાં આવશે. ધ્યાનમાં રાખો કે છેલ્લી કારોબારી બેઠકમાં ભાજપે પછાત પસમંડા મુસ્લિમોની સ્થિતિ સુધારવાની વાત કરી હતી. પસમંડામાં મોટી સંખ્યા છે.
તાવડેએ જણાવ્યું કે આ બેઠકમાં વડાપ્રધાન, 35 કેન્દ્રીય મંત્રીઓ, 12 મુખ્યમંત્રીઓ, 5 નાયબ મુખ્યમંત્રીઓ સહિત લગભગ 350 કાર્યકારી સભ્યો હાજર રહેશે.