જુલાઈમાં યોજાનારી આ ત્રણ દિવસીય બેઠકમાં PM મોદી સહિત રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સામેલ તમામ અધિકારીઓ સામેલ થશે.
તેલંગાણામાં 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાશે
જુલાઈના ત્રીજા સપ્તાહમાં થશે BJPની બેઠક
PM મોદી સહિત 300 નેતાઓ રહેશે ઉપસ્થિત
તેલંગાણામાં આવતાં વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. તેને ધ્યાનમાં લઈને BJPના નેૃતત્વએ જુલાઈમાં હૈદરાબાદમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીના માહોલમાં આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતશાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ભાગ લેશે
આ બેઠકમાં PM મોદી સહિત 300 નેતાઓ ઉપસ્થિત રહેશે
જણાવવામાં આવી રહ્યું છે કે, બેઠક બાદ હૈદરાબાદના નોવોટેલ હોટલમાં થશે. જુલાઈમાં થવા વાળી ત્રણ દિવસીય આ બેઠકમાં PM મોદી સહિત રાષ્ટ્રીય કાર્યકારણીમાં પણ ઉપસ્થિત રહેશે. સૂત્રોના જણાવ્યા અુસાર બીજેપીની આ બેઠકમાં લગભગ 300થી વધુ નેતાઓ ભાગ લેશે.આ બેઠકમાં જુલાઈના ત્રીજા સપ્તાહમાં થશે.બીજેપીના રાષ્ટ્રીય કાર્યકારણી પાર્ટીની સમગ્ર રણનીતિક દિશાઓ અને નીતિ નક્કી કરશે.
તેલંગાણામાં 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાશે
તેલંગાણામાં 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે.એવામાં BJPએ તેલંગાણા પર ફોક્સ શરૂ કરી દીધું છે. મે મહિનામાં PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા તેલંગાણાનો પ્રવાસ કરી ચુક્યા છે. બીજી તરફ બીજેપીએ યૂપીથી તેલંગાણાના પૂર્વ બીજેપી પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણને રાજ્ય સભામાં મોકલવાનો પ્રાયાસ કરાયો
તાજેતરમાં જ જયપુરમાં થઈ હતી બેઠક
આ પહેલા BJPએ મેમાં જયપુરમાં પદાધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી. ત્રણ દિવસની આ બેઠકમાં PM મોદીએ વર્ચ્યુલી પદાધિકારીઓને સંબોધિત કર્યા હતાં. અને આગળ આવનારા સમયને લઈ રોડમેપ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જેપી નડ્ડા સહિત બીજેપીના તમામ પદાધિકારીઓ પણ સામેલ થયા હતાં. આ દરમિયાન વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી છે.
BJPએ રાજ્યસભાની ચૂંટણી માટે ઈન્ચાર્જ નિયુક્ત કર્યા
BJPએ રાજ્યસભા ચૂંટણી માટે ઈન્ચાર્જ નિયુક્ત કરી દેવામાં આવ્યાં છે.નરેન્દ્ર સિંહ તોમર અને રાજસ્થાનમાં રાજ્યસભા ચુંટણી ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. આ સાથે ગજેન્દ્ર સિંહ શેખાવતને હરિયાણા, જી કિશન રેડ્ડીને કર્ણાટક અને અશ્વિની વૈષ્ણવને મહારાષ્ટ્રના ચુંટણી ઈન્ચાર્જ બનાવાયા છે.