મહારાષ્ટ્ર્માં સત્તાધારી ભાજપ રવિવારે આગામી વિધાનસભા ચૂંટણીને માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે. રાજ્યમાં 21 ઓક્ટોબરથી મતદાન થશે. સૂત્રોના આધારે રાજ્યના ભાજપ નેતા ઉમેદવારીની યાદીને પીએમ મોદી સાથે ચર્ચા બાદ નિર્ણાયક રૂપ આપશે.
ભાજપ આજે જાહેર કરી શકે છે ઉમેદવારોની પહેલી યાદી
પીએમ મોદી સાથે ચર્ચા બાદ જાહેર થશે પહેલી યાદી
ઉત્તર મહારાષ્ટ્રમાં ભાજપે કોંગ્રેસ-એનસીપીની વધારી મુશ્કેલી
14 નિર્દલીય ઉમેદવારોએ ભર્યું ઉમેદવારી ફોર્મ
ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર
પીએમ મોદી શનિવારે સાંજે અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રના પ્રવાસેથી પરત આવ્યા છે. સૂત્રોના આધારે પીએમ મોદી સાથે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય ભાજપા અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ રવિવારે સવારે દિલ્હી માટે નીકળશે. ચૂંટણી આયોગે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબરની રાખી છે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની નજર ઉત્તરી મહારાષ્ટ્રની 47 સીટ પર છે જે ક્યારેક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. ઉત્તરી મહારાષ્ટ્રના અહેમદનગર, ઘૂલે, જળગાંવ, નંદૂરબાર અને નાસિકમાં કોંગ્રેસ નબળી પડી તો ભાજપ પોતાનું સ્થાન કાયમ કરી લેશે. ચૂંટણી નજીક આવવાની સાથે ભાજપ આ જિલ્લામાં પોતાના પ્રચારમાં કોઈ ખામી રાખશે નહીં. જેના કારણે કોંગ્રેસ -એનસીપીના અનેક નેતાઓએ ભાજપનો સાથ આપવાનું નક્કી કર્યું છે. જેનાથી બંને વિપક્ષી દળોની મુશ્કેલીઓ વધી છે.
કોંગ્રેસ- એનસીપીના નેતાઓ બદલી શકે છે પાર્ટી
આદિવાસી બહુલ વિસ્તાર ગણાતા નંદુબાર અને ધૂલેમાં પારંપરિક રીતે કોંગ્રેસ અને એનસીપી મજબૂત છે. કોંગ્રેસના આ ગઢમાં પહેલી વાર ફૂટ ત્યારે પડી હતી જ્યારે ભાજપે એનસીપીના દિગ્ગજ નેતા વિજય કુમાર ગાવિતની દીકરી હિના ગાવિતને પાર્ટીમાં સામેલ કરી હતી. ચર્ચા એ પણ છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરિશ પટેલ પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. આ સિવાય અનેક અન્ય નેતાઓ પણ પાર્ટી બદલશે તેમ જાણવા મળી રહ્યું છે.
ભાજપ જીતી શકે છે બાજી
નાસિકમાં કોંગ્રેસ પાસે બે ઉમેદવાર હતા. જેમાં નિર્મલા ગાવિત શિવસેનામાં સામેલ થઈ. જ્યારે અહેમદનગરમાં અકોલાથી એનસીપી વિધાયક વૈભવ પિચડ અને શિરડીથી કોંગ્રેસ વિઘાયક રાધાકૃષ્ણ વિખે પાટિલ બંને ભાજપનો સાથ આપી રહ્યા છે. ઉત્તરી ભારતમાં ભાજપની સંભાવનાની ચર્ચા કરાય તો ભાજપના નેતા એકનાથ ખડસેએ કહ્યું કે આવનારી ચૂંટણીમાં ભાજપ આ ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે અને તેણે અહીં ઘણો પ્રચાર પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ભાજપ 144 સીટ પર પોતાના ઉમેદવાર ઉતારશે. હરિયાણામાં 89 અને મહારાષ્ટ્રમાં 288 સીટ પરથી લડશે ચૂંટણી.
5 જિલ્લામાં 47 સીટ
ઉત્તરી મહારાષ્ટ્રમાં આ 5 જિલ્લામાં 288 વિધાનસભા સીટમાં 47 સીટ આવે છે. નંદુબારમાં જ્યાં 4 વિધાનસભાની સીટ છે ત્યાં ધૂલેમાં 5 અને જલગાંવમાં 11, નાસિકમાં 15 અને અહેમદનગરમાં 12 સીટો છે.
14 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી
મહારાષ્ટ્ર વિધાનસભાની તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે આ માટે 14 નિર્દલીય ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે. આ માટેની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર છે. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું છે કે ઉમેદવારોના દસ્તાવેજ 5 ઓક્ટોબર સુધીમાં તપાસી લેવાશે. રાજ્યમાં ઉમેદવારી પાછી લેવા માટેની તારીખ 7 ઓક્ટોબર સુધીની છે. મહારાષ્ટ્રની પ્રમુખ રાજકીય પાર્ટીઓ ભાજપ, શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ હાલ સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી.
મનસે 125 સીટો પરથી લડશે મહારાષ્ટ્રની ચૂંટણી
લોકસભાની ચૂંટણીથી દૂર રહીને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. પાર્ટી 125 સીટો પરથી ઉમેદવાર ઉતારશે. મનસે મહાસચિવ સંદીપ દેશપાંડેએ આ વાત કહી છે. સાથે તેઓએ કહ્યું કે ભાજપ- શિવસેના અને કોંગ્રેસ - એનસીપી સાથે રહીને લડશે તો અનેક નેતાઓને ટિકીટ મળી શકશે નહીં. મનસે તેમને ટિકીટનો વિકલ્પ આપશે. તેઓએ કહ્યું કે મુંબઈ, થાણે અને નાસિકમાં તેમની પાર્ટી મુશ્કેલી સર્જી શકે છે.