હિમાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપની કારમી હાર થઈ છે. જેને લઈને ત્યાના મુખ્યમંત્રીએ એવું નિવેદન આપ્યું કે મોંઘવારીને કારણે ભાજપ હારી છે. જેના કારણે હવે ભાજપમાં હડકંપ મચી ઉઠ્યો છે.
હિમાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપની કારમી હાર
મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આપ્યું મોટું નિવેદન
મોંઘવારીને કારણે ભાજપની હાર થઈ :CM જયરામ ઠાકુર
Himachal Pradesh CM Jai Ram Thakur said he humbly accepts the verdict given by people in by-elections to one Lok Sabha seat & three Assembly constituencies. He said the results were not as per expectations. He said that BJP lost Mandi Parliamentary seat with a narrow margin: CMO https://t.co/EdJZoJN64rpic.twitter.com/ct5jYO7pR7
હિમાચલ પ્રદેશમાં આજે મંડી લોકસભા , ફતેહપુર અને જુબ્બલ કોટખાઈ વિધાસભામાં ભાજપની હાર થઈ છે. જેને લઈને મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મોટું નિવેદન આપ્યું છે. હારનું કારણ તેમણે કેન્દ્ર સરકારને ગણાવી છે. જેમા તેમણે કહ્યું કે વધતી મોંઘવારીને કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે આવું પરિણામ આવશે તેવું તેમણે વિચાર્યું ન હતું.
ભાજપમાં મચી ઉઠ્યો હડકંપ
મુખ્યમંત્રીએ આપેલા આ નિવેદનને લઈને ભાજપમાં હડકંપ મચી ઉઠ્યો છે. વિપક્ષ દ્વારા પણ હાલ ભાજપ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લાએ કહ્યું કે કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થાની હાલત ખરાબ કરીને લોકોના ખીસ્સા ખાલી કરી નાખ્યા છે.
ઉત્તરપ્રદેશની ચૂંટણી પર પડશે અસર
વધુમાં કોંગ્રેસ પ્રભારી કહ્યું કે પાસે દેખાડવા માટે કોઈ નંબર નથી. સાથેજ તેમણે કહ્યું કે GDPના આંકડાઓ પણ ફર્જી છે. પેટ્રોલ-ડીઝલ રસોઈ ગેસના ભાવમાં સદંતર વધારો થયો છે. ત્યારે આ સમયે ભાજપ સામે વિરોધ વધી રહ્યો છે. ઉપરાંત કોંગ્રેસ પ્રભારીએ સમગ્ર મામલે એવું પણ કહ્યું કે આ બધાની અસર ટૂંક સમયમાં ઉત્તરપ્રદેશ ચૂંટણી ઉપર પણ પડશે.
હારની અસર મુખ્યમંત્રીને થશે
હિમાચલમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત ભાજપ માટે મોટો ઝટકો છે. આ ચૂંટણીને લોકો રાજ્યમાં આવતા વર્ષે જે ચૂંટણી થવાની છે તેને લઈને પણ જોઈ રહ્યા છે. ભાજપના હારની સીધી અસર હવે મુખ્યમંત્રી રામ ઠાકુરને થશે. કારણકે આ ચૂંટણી તેમનાજ નેતૃત્વમાં લડાવામાં આવી રહી હતી. જેથી તેમનું રાજનૈતિક ભવિષ્ય પણ હાલ સંકટમાં આવી ગયું છે.
કોંગ્રેસ માટે શુભ સંકેત
ઉલ્લેખનીય છે કે ભાજપે હાલ ત્રણ રાજ્યોમાં તેમના મુખ્યમંત્રી બદલ્યા છે. ત્યારે હિમાચલની હાર હવે જયરામ ઠાકુર માટે ખતરાની ઘંટડી છે. ત્યારે બીજી તરફ હવે કોંગ્રેસ માટે 2022ની વિધાનસભા ચૂંટણી શુભ સંકેત કહી શકાય.