બાકી રહેલી 3 લોકસભા સીટો પર ઉમેદવારોને ભાજપનો પેચ ફસાયો છે...બાકી રહેલી ત્રણેય સીટો પાટીદાર પ્રભાવિત છે...મહેસાણા, સુરત અને અમદાવાદ પૂર્વના ઉમેદવાર નક્કી કરવા ભાજપ માટે મુશ્કેલ થઇ પડ્યું છે...તો પાટીદાર અનામત આંદોલનવાળી સીટને લઇને પણ ભાજપ અસમંજસમાં છે...મહેસાણામાં નીતિનભાઇ પટેલ જૂથ કે સંગઠનના જૂથ વચ્ચે અસમંજસ છે...સુરતમાં પાટીદાર કે સુરતી વચ્ચે ગડમથલમાં ઉમેદવારના નામ ધોંસમાં મુકાયા છે...મહેશ સવાણી અને દર્શનાબેન જરદોશના નામ વચ્ચે ગડમથલ થઇ રહી છે...તો અમદાવાદમાં પાટીદાર અને બ્રાહ્મણ ઉમેદવારને લઇને ચર્ચા થઇ રહી છે...