ગુજરાતમાં બે નાયબ મુખ્યમંત્રી બને તેવી ફોર્મ્યુલા સામે આવી રહી છે. નવા CMની સાથે બે જુદા જુદા સમુદાયમાંથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે
ગુજરાતમાં બની શકે છે બે નાયબ મુખ્યમંત્રી?
આદિવાસી અને ઓબીસી સમાજને મળી શકે છે સ્થાન
મુખ્યમંત્રી પાટીદાર હોય તેવી પ્રબળ શકયતા
ગુજરાતમાં પણ અપનાવાઈ શકે છે બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યૂલા જેમાં આદિવાસી અને ઓબીસી સમાજમાંથી નાયબ મુખ્યમંત્રી હોય શકે છે એવું પણ મનાઈ રહ્યું છે કે ઓબીસી નાયબ મુખ્યમંત્રી ઠાકોર અથવા કોળી જ્ઞાતિમાંથી આવી શકે છે ત્યારે ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી બને તેવી પ્રબળ શકયતાઓએ જોર પકડ્યું છે.
ગુજરાતમાં બની શકે છે બે નાયબ મુખ્યમંત્રી?
વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ હવે ભાજપ નવી સરકાર માટે મોટી તૈયારીઓ કરી રહી છે જેમા બે નાયબ મુખ્યમંત્રી રાખવા માટે વિચારણા ચાલી રહી છે.ગુજરાતમાં વિજય રૂપાણીના CM પદ પરથી રાજીનામા બાદ હવે કોણ મુખ્યમંત્રી બનશે તે માટે મોટી હલચલ મચી ગઈ છે ત્યારે ગુજરાતમાં પણ બે નાયબ મુખ્યમંત્રીની મોર્મ્યૂલા અપનાવી શકાય છે.
ગુજરાતમાં બે-બે DyCM!
મહત્વનું છે કે વર્ષ 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે, આ ચૂંટણીમાં એક મોટો અને મજબૂત ચહેરો તથા બધી જ જાતિઓને ધ્યાનમાં રાખીને કોઈ નારાજ ન રહે તેવી સરકાર ભાજપ દ્વારા આપવામાં આવી શકે છે. રાજ્યમાં પાટીદારો ભાજપથી નારાજ ચાલી રહ્યા છે ત્યારે ભાજપ પાટીદાર ચહેરાને મુખ્યમંત્રી બનાવે તેવી પ્રબળ શક્યતાઓ વચ્ચે નીતિન પટેલ, ગોરધન ઝડફિયા અને માંડવીયા નામોની ચર્ચાઓ ચાલી રહ્યી છે.
પાટીદાર ચહેરા પર દાવ રમશે ભાજપ!
આગામી વિધાનસભા ચૂંટણીને જોતાં ગુજરાતમાં બે નાયબ મુખ્યમંત્રી બને તેવી ફોર્મ્યુલા સામે આવી રહી છે. નવા CMની સાથે બે જુદા જુદા સમુદાયમાંથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. ભાજપની અંદર જે ફોર્મ્યુલા ચાલી રહી છે તે અનુસાર પાટીદાર CMની સાથે એક OBC નાયબ મુખ્યમંત્રી જ્યારે બીજા DyCM SC અથવા ST સમાજના રાખવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે.
2022 માટે જરૂરી છે નવો ચહેરો
નોંધનીય છે કે આગામી વર્ષ 2022માં જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એવા નેતાની જ પસંદગી કરશે જેનાં નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડી શકાય.
ગોરધન ઝડફિયા બનશે CM!
આજે વિજય રૂપાણી રાજીનામું આપી રહ્યા છે ત્યારે આગામી મુખ્યમંત્રી ચહેરાને લઈને ચાલી રહેલ અટકળોમાં ગોરધન ઝડફિયા સૌથી આગળ ચાલી રહ્યા છે. હવે ગુજરાતની કમાન ગોરધન ઝડફિયાને સોંપી દેવામાં આવે અને તેમને જ CM બનાવવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ગોરધન ઝડફિયા ગુજરાતનાં ખૂબ મોટા નેતા છે પરંતુ છેલ્લા ઘણા વર્ષથી તેઓ લાઈમ લાઇટથી થોડા દૂર રહ્યા છે.
બીજા કયા નામો આગળ
ઝડફિયા સિવાય મનસુખ માંડવીયાનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. તેમને હાલમાં જ કેન્દ્રમાં આરોગ્ય મંત્રી પદ આપી મોટી જવાબદારી આપવામાં આવી છે. માંડવીયા બાદ નીતિન પટેલ અને સી આર પાટીલનું નામ પણ રેસમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે અમિત શાહ આજે અમદાવાદ આવે અને તે બાદ બેઠકમાં જ નામ પર મહોર મારવામાં આવશે.