આજે ગાંધીનગર ખાતે સાંજે ચાર કલાકે ભાજપ પેજ પ્રમુખોનું મહાસંમેલન,સંગઠન મહામંત્રી રત્નાકર અને નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પેજ પ્રમુખોને કરશે સંબોધિત
ભાજપના પેજ પ્રમુખોનું યોજાશે સંમેલન
CM ભૂપેન્દ્ર પટેલ પેજ પ્રમુખોને કરશે સંબોધન
સાંજે 4 કલાકે ગાંધીનગર ખાતે યોજાશે સંમેલન
ગાંધીનગર મહાનગર પાલિકાની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ચૂંટણીના પ્રચાર માટે અંતિમ ખુબ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ પેજ પ્રમુખોનું મહાસંમેલન યોજાનાર છે, જેમાં સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા પેજ પ્રમુખોને સંબોધન કરશે, આ સંમેલન સાંજે કલાકે ગાંધીનગર સિવિલ ઓડિટોરિયમ ખાતે મળનાર છે, જેમાં નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પેજ પ્રમુખોને સંબોધિત કરશે.
સાંજે 4 કલાકે ગાંધીનગર ખાતે યોજાશે સંમેલન
મહત્વનું છે કે કાર્યકરોને સંગઠિત કરી એક ઢાંચામાં લાલવવા ભાજપ દ્વારા પેજ પ્રમુખોની રચના કરાઈ છે, તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે અગાઉ પણ જણાવી ચુક્યા છે કે પેજ પ્રમુખ કમિટીની રચના બાદ ભાજપને અનેક વખત ચૂંટણીમાં ફાયદો થયો છે તેમજ પેજ કમિટીની રચના બાદ ભાજપ તરફી મતદાન વધ્યું છે,
CM ભૂપેન્દ્ર પટેલ પેજ પ્રમુખોને કરશે સંબોધન
હવે ગાંધીનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે એવામાં આજે ગાંધીનગર ખાતે સાંજે ચાર કલાકે પેજ પ્રમુખોનું મહાસંમેલન યોજાનાર છે, ગાંધીનગર મહાનગર પાલિકની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ સંમેલન મહત્નું મનાઈ રહ્યું છે, જેમાં ભાજપના આગેવાનો ધારાસભ્યો, તેમજ કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે સાથે જ સંગઠન મહામંત્રી રત્નાકર પણ આ સંમેલનમાં હાજર રહી પેજ પ્રમુખોને સંબોધિત કરશે