ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલની હાજરીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા, જો કે કોંગ્રેસે ભાજપ દ્વારા લગાવવામાં આવેલ આ આરોપ અને એ વીડિયોને ખોટો ગણાવ્યો હતો.
ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા
રાહુલ ગાંધીએ દેશ પાસે માફી માંગવી જોઈએ - ભાજપ
ભાજપના લોકો રાહુલ ગાંધીની 'ભારત જોડો' યાત્રાથી ડરી ગયા - કોંગ્રેસ
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના ત્રીજા દિવસે ભારે હંગામો થયો હતો. ત્રીજા દિવસે પહેલા કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ કમલનાથના મીડિયા સંયોજક ભાજપમાં જોડાયા હતા અને તેના થોડા સમય બાદ ભાજપે આરોપ લગાવ્યો હતો કે ખરગોનમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલની હાજરીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. સાથે જ એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો કોંગ્રેસ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને થોડા સમય પછી તેને ત્યાંથી હટાવવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસે ભાજપ દ્વારા લગાવવામાં આવેલ આ આરોપ અને એ વીડિયોને ખોટો ગણાવ્યો હતો.
भारत जोड़ो यात्रा में पाकिस्तान जिंदाबाद के नारे लगना, यह भारत जोड़ना है या भारत को तोड़ने वालों को साथ जोड़ना है। पहले भी भारत तोड़ा है, क्या फिर भारत तोड़ने का इरादा है?
पाकिस्तान जिंदाबाद के नारे लगाने वाले किसी भी कीमत पर बचेंगे नहीं, उनके खिलाफ सख्त कार्रवाई की जायेगी।
ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા
આ સાથે જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવતા ટ્વિટ કર્યું હતું કે 'ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા, આ ભારતને જોડનાર છે કે ભારતને તોડનારાઓને એક સાથે જોડવાની પહેલ છે. પહેલા પણ ભારતને તોડ્યું હતું, શું ફરી ભારતને તોડવાનો ઈરાદો છે? પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારાઓને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ બધા આરોપોનો કોંગ્રેસે વળતો જવાબ પણ આપ્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે કે આ રાહુલ ગાંધીનો ડર હતો જે ભાજપમાં દેખાઈ રહ્યો છે. ખોટા વીડિયો દ્વારા જૂઠ ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
भारत जोड़ो यात्रा में खुलेआम नारा लगा "पाकिस्तान जिंदाबाद"
इसे कांग्रेस के ऑफिशियल हैंडल से ट्वीट किया गया , बाद में हटाया गया, लेकिन सच्चाई तो सामने आ गई कि कांग्रेस के दिल में क्या है pic.twitter.com/c6gm1S7cUj
— लोकेन्द्र पाराशर Lokendra parashar (@LokendraParasar) November 25, 2022
રાહુલ ગાંધીએ દેશ પાસે માફી માંગવી જોઈએ
આ સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ પણ આ વીડિયો શેર કર્યો હતો અને એમને લખ્યું હતું કે ખૂબ જ શરમજનક! ખરગોનમાં, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ ખુલ્લેઆમ 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા હતા અને દેશને તોડવાની કોંગ્રેસની માનસિકતા ફરી છતી થઈ ગઈ છે. વારંવાર સાબિત થઈ રહ્યું છે કે આ ભારત તોડો યાત્રા છે. આ માટે રાહુલ ગાંધીએ દેશ પાસે માફી માંગવી જોઈએ.
बेहद शर्मनाक!
खरगोन में राहुल गांधी की भारत जोड़ो यात्रा में सरेआम “पाकिस्तान जिन्दाबाद” के नारे से कांग्रेस की देश तोड़ने की मानसिकता फिर से उजागर हुई है।
यह बार बार साबित हो रहा है कि यह भारत तोड़ो यात्रा है। इस निंदनीय कृत्य के लिए राहुल गांधी को देश से माफ़ी मांगना चाहिए। pic.twitter.com/CXq1a09xVF
ભાજપના લોકો રાહુલ ગાંધીની 'ભારત જોડો' યાત્રાથી ડરી ગયા
ભાજપના રાજ્ય મીડિયા પ્રભારી લોકેન્દ્ર પારાશરે પણ એક વીડિયો શેર કરતાં લખ્યું હતું કે ભારત જોડો યાત્રા દરમિયાન ખુલ્લેઆમ 'પાકિસ્તાન ઝિંદાબાદ' ના નારા લગાવવામાં આવ્યા હતા અને કોંગ્રેસના સત્તાવાર હેન્ડલ પરથી આ ટ્વિટ કરવામાં આવ્યું હતું પણ થોડા સમય પછી તેને હટાવવામાં અવાયો હતો. પણ આ બધા વચ્ચે કોંગ્રેસના દિલમાં શું છે તે સત્ય સામે આવ્યું છે. ' આ વાત પર કોંગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ કેકે મિશ્રાએ વળતો પ્રહાર કરતાં લખ્યું હતું કે 'ભારત તોડોની ભાજપાઇ વિચારધારાના લોકો રાહુલ ગાંધીની 'ભારત જોડો' યાત્રાથી ડરી ગયા હતા. એટલા માટે ખોટા નકલી વીડિયોનો ઉપયોગ કરીને તેને બદનામ કરવાનો દૂષિત પ્રયાસ કરવામાં આવ્યો! ભાજપના મીડિયા પ્રભારી લોકેન્દ્ર પરાશર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવી હલકી યુક્તિઓ અમારા ધ્યેયને હલાવી નહીં શકે.