જે બેઠકો પર ગત ચૂંટણીમાં ભાજપને નિષ્ફળતા અને કોંગ્રેસને સફળતા મળી હતી, તે બેઠકો કબજે કરવા માટે ભાજપે 'માસ્ટર પ્લાન' બનાવ્યો છે. અહીં ચૂંટણી પ્રચારની કમાન PM મોદીએ પોતે સંભાળી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ થઈ તેજ
કોંગ્રેસની સીટો કબજે કરવા ભાજપનો એક્શન પ્લાન
ગુજરાતમાં PM મોદી ગજવી રહ્યા છે ઉપરા છાપરી સભા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે. સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે. રોજ રોજ સભાઓ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરા ઉપરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સભાઓ ગજવી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જે બેઠકો ગુમાવવી પડી હતી, આ વખતે તે બેઠકો કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ એક્શન પ્લાન બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આ વખતે જે-જે સ્થળોએ સભાઓ અને રોડ શૉ યોજી રહ્યા છે, તેમાંથી મોટા ભાગના વિસ્તારોમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો. જ્યારે ભાજપને નિષ્ફળતા મળી હતી. 2017ની વિધાનસભામાં ભાજપને જબરી ટકકર આપી હતી અને તેને ત્રણ આંકડે પહોંચવા દીધો ન હતો,
PM મોદીએ વલસાડથી ચૂંટણી પ્રચાર માટે ફૂંક્યું હતું રણશિંગું
ગત ચૂંટણી જે બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી તેના પર આ વખતે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વિધાનસભા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીએ વલસાડના નાના પોંઢાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરાવી હતી. જ્યાં સભાને સંબોધીને ચૂંટણી પ્રચાર માટે રણશિંગું ફૂંક્યું હતું. પીએમ મોદીએ 19 નવેમ્બરના રોજ સોમનાથ દાદાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. જે બાદ તેમણે વેરાવળમાં જાહેર સભાને સંબોધી હતી. જે બાદ PM મોદીએ ધોરાજી, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, જંબુસર, નવસારીમાં સભા સબોધી હતી. જે બાદ 23 નવેમ્બરના રોજ પીએમ મોદીએ મહેસાણામાં સભાને સંબોધન કરી હતી.
આજે PM મોદીની પાલનપુરમાં યોજાઈ જાહેર સભા
આ ઉપરાંત તેઓ દાહોદ, વડોદરા અને પાલનપુરમાં પણ સભા ગજવી હતી. આપને જણાવી દઈએ કે, આમાંથી મોટા ભાગના વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો. ધોરાજીની સભામાં PM મોદીએ કહ્યું હતું કે, ગઈ વખતે થોડી ભૂલ થઈ ગઈ, પણ તમે કહો કે તમને શું ફાયદો થયો? આ વખતે તમામ બેઠકો પર ભાજપની જીત થવી જોઈએ.
ગત ચૂંટણીમાં ભાજપને વેઠવું પડ્યું હતું મોટું નુકસાન
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પાટીદાર અનામત આંદોલન, OBC આંદોલન અને દલિત આંદોલનના કારણે મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. ગુજરાતમાં કુલ 182 વિધાનસભા સીટો છે. બહુમત માટે 92 સીટોની જરૂર હોય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99, કોંગ્રેસને 77 સીટો મળી હતી. છ સીટો અપક્ષ અને અન્યના ખાતામાં ગઈ હતી.
ઝોન વાઈઝ ભાજપ અને કોંગ્રેસને કેટલી મળી હતી સીટો?
ઝોન
કુલ બેઠકો
ભાજપ
કોંગ્રેસ
અન્ય
મધ્ય ગુજરાત
68
40
24
4
કચ્છ-સૌરાષ્ટ્ર
54
23
30
1
ઉત્તર ગુજરાત
32
14
17
1
દક્ષિણ ગુજરાત
28
22
6
0
કયા વિસ્તારમાં કોંગ્રેસે કર્યું હતું સારું પ્રદર્શન
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું પ્રદર્શન ભાજપના મુકાબલે સારૂ રહ્યું હતું. તો ભાજપે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટી લીડ બનાવી હતી.
2017ની વિધાનસભા ચૂંટણીમાં 77 સીટ મેળવનારી કોંગ્રેસ આજે 63એ પહોંચી
ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 99 બેઠકની પાતળી બહુમતી સાથે સત્તા પર આવ્યો હતો. ત્યારે છેલ્લાં પાંચ વર્ષમાં કોંગ્રેસના 15 ધારાસભ્યને ભાજપમાં ભરતી કરીને તે આજે વિધાનસભામાં 111 બેઠક સાથે સત્તા પર છે. 2017માં કોંગ્રેસ પાસે 77 બેઠક હતી, એમાંથી 15 ધારાસભ્ય ભાજપમાં ભળી જતાં કોંગ્રેસ આજે 63 બેઠક સુધી પહોંચી ગઈ છે.
ક્યાં-ક્યાં ધારાસભ્યોએ છોડ્યો કોંગ્રેસનો સાથ?
1995 પછી કોંગ્રેસે 2017માં સૌથી વધારે 77 બેઠકો મેળવી હતી. જોકે, ચૂંટણીના થોડા સમય બાદ જ ભાજપમાં ભરતી અને કોંગ્રેસમા ઓટ શરૂ થઈ ગઈ હતી. પાંચ વર્ષમાં કોંગ્રેસે 15 ધારાસભ્યો ગુમાવ્યા છે. જેમાં સૌથી પહેલું નામ આવે છે કુંવરજી બાવળિયા (જસદણ). જે બાદ જવાહર ચાવડા (માણાવદર), અલ્પેશ ઠાકોર (રાધનપુર), ધવલસિંહ ઝાલા (બાયડ), પરષોત્તમ સાબરિયા (ધ્રાંગધ્રા), જે.વી કાકડિયા (ધારી), સોમા ગાંડા પટેલ (લીંબડી), પ્રવિણ મારુ (ગઢડા), પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા), મંગળ ગાવિત (ડાંગ), બ્રિજેશ મેરજા (મોરબી), જિતુ ચૌધરી (કપરાડા), અક્ષય પટેલ (કરજણ), અશ્વિન કોટવાલ (ખેડબ્રહ્મા) અને આશાબેન પટેલ (ઊંઝા) (આશાબેનનું નિધન થઈ ચૂક્યું છે)