રાજ્યમાં 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિનની કરાશે ઉજવણી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યાત્રાનું આયોજન.
6 એપ્રિલે ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરાશે
ભાજપ યુવા મોરચા પ્રમુખ ડૉ.પ્રશાંત કોરાટનું નિવેદન
'6 એપ્રિલથી 20 દિવસ સુધી યાત્રા સમગ્ર ગુજરાતમાં યોજાશે'
આગામી 6 એપ્રિલે ભાજપ સ્થાપના દિવસ છે. જેને લઇને ભાજપ યુવા મોરચા દ્વારા ઉજવણીનું એલાન કરવામાં આવ્યું છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડૉ.પ્રશાંત કોરાટે નિવેદન આપતા જણાવ્યું કે આ 6 એપ્રિલથી 20 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં યાત્રા યોજાશે. 25 એપ્રિલ સુધી આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનું આખા ગુજરાતમાં યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવનાર છે.
6 એપ્રિલે ભાજપ સ્થાપના દિનની ઉજવણી
ભાજપ યુવા મોરચા પ્રમુખ ડૉ.પ્રશાંત કોરાટનું નિવેદન આપતા જણાવ્યું કે આખા ગુજરાતમાં આ દિવસની રેલી રુપે ઉજવણી કરવામાં આવશે. 6 એપ્રિલે યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવનાર છે. ઇન્ડિયા કોલોનીથી સુરત સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવનાર છે. આ યાત્રામાં 75 બાઇક અને ટેબ્લો સાથે રેલીનું આયોજન કરાશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે.
શા માટે ભાજપના સ્થાપના દિવસની કરાય છે ઉજવણી ?
મહત્વનું છે કે 6 એપ્રિલ 1980થી ભારતની સત્તાધારી પાર્ટીનો અસ્તિત્વમાં આવી હતી. શ્યામા પ્રસાદ મુખર્જીએ 1951માં જન સંઘની સ્થાપ્ના કરી હતી. આ જન સંઘને ભાજપની જનતા માનવામાં આવે છે. 1977માં અનેક નાની પાર્ટીઓ ભેગી કરીને જન સંઘનો જનતા પાર્ટીમાં વિલય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અટલ બિહારી બાજપેયીના નેતૃત્વમાં કેટલાક જૂના જોગીઓએ ભેગા મળીને ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપની સ્થાપ્ના કરી. બાજપેયીની ઉદાર હિન્દુત્વવાદી નીતિએ સમાજમાં બહું ઉંડે સુધી પોતાની છાપ છોડી. વર્ષ 1984થી 1998 સુધી પોતાની હિન્દુત્વવાદી નીતિમાં ભાજપે અનેક પરિવર્તનો આણ્યા પણ કેન્દ્રમાં સત્તા હાસલ કરી શકે અને કાર્યકાળ પૂરો કરી શકે એટલી બેઠકો ન આવી. આખરે ૧૯૯૯માં બાજપેયીના નેતૃત્વમાં ઉદાર હિન્દુત્વની નીતિ સાથે અનેક પક્ષો ભેગા મળ્યા અને નેશનલ ડેમોક્રેટિક એલાય્નસ (NDA)ની સ્થાપ્ના થઇ હતી.બાજપેયીના નેતૃત્વમાં જ આ સરકારે પાંચ વર્ષ પૂરા કર્યા હતા.