તિસ્તા સેતલવાડની ધરપકડ મામલે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે નિવેદન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આ મામલે તપાસ બાદ ષડયંત્રની હકીકત ઉઘાડી પડશે.
તિસ્તા સેતલવાડની ધરપકડ મુદ્દે ભાજપની પ્રતિક્રિયા
ભાજપના પ્રવક્તા યમલ વ્યાસનું નિવેદન
વર્ષ 2002થી 20 વર્ષ સુધી PM મોદી પર ખોટા આક્ષેપ કર્યા
ગઇકાલે ગુજરાત ATS એ તિસ્તા સેતલવાડની મુંબઈ ખાતેથી ધરપકડ કરી લીધી છે. આ મામલે ભાજપે પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે આ મામલે નિવેદન આપી જણાવ્યુ હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર પોલીસ કાર્યવાહી કરી રહી છે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2002થી 20 વર્ષ સુધી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખોટા આક્ષેપ કર્યા હતા. 20 વર્ષ સુધી નરેન્દ્ર મોદીએ આક્ષેપો સહન કરીને કાયદાકીય પ્રક્રિયાનું સન્માન કર્યું છે. વધુમાં PM મોદી મુખ્યમંત્રી હતા ત્યારે SIT સમક્ષ હાજર થયા હતા જ્યાં 16 કલાક સુધી જવાબો આપ્યા હતા. આ દરમીયાન પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ધરણાં કે કોઇ તોફાન મચાવ્યાં ન હતા.
તપાસમાં ષડયંત્રની હકીકત લોકો સામે આવશે
વધુમાં તેમણે ઉમેર્યું કે, સુપ્રીમ કોર્ટના જજમેંટ પરથી એ પુરવાર થાય છે કે, 2002 માં જે તોફાનો થયા હતા. તેમાં ભાજપથી વિરોધી પાર્ટીઓ અને ભાજપના સ્વચ્છ શાસનથી દુ:ખી અધિકારીઓએ નરેન્દ્ર મોદીને ફસાવવા કાનૂની ગેરરીતિ કરી હતી. જેનો પર્દાફાશ થયો છે. આ મામલે તપાસમાં ષડયંત્રની હકીકત લોકો સામે આવશે તેમ અંતમાં યમલ વ્યાસે જણાવ્યુ હતું.
શુ હતો સમગ્ર મામલો ?
ગઇકાલે ગુજરાત ATSની ટીમ તિસ્તા સેતલવાડના મુંબઈ સ્થિત ઘરે પહોંચી હતી. જ્યાં તિસ્તા સેતલવાડની અટકાયત કરવામાં આવી હતી. તેની સાથે-સાથે આર.બી.શ્રીકુમારને પણ ક્રાઈમ બ્રાન્ચે સમન્સ પાઠવ્યું હતું. મહત્વનું છે કે, 2002ના રમખાણો વખતે ખોટા ફંડિગ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. સુપ્રીમકોર્ટના નિર્દેશના પગલે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી હતી. વધુમાં જણાવી દઇએ કે, પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને આર.બી.શ્રીકુમાર સામે પણ ગુનો નોંધાયો છે.
જુઓ તિસ્તા સેતલવાડ સામે શું છે આરોપ?
વિદેશથી આવેલા ફંડિગમાં ફ્રોડ કર્યાનો છે આરોપ
વિદેશી ફંડિગ મામલે ગુજરાત પોલીસ,CBIએ તપાસ હાથ ધરી હતી
વર્ષ 2013માં તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી
ગુલબર્ગ સોસાયટીના 12 રહિશોએ તિસ્તા વિરૂદ્ધ કરી હતી ફરિયાદ
મ્યુઝિયમ બનાવવા જે ફંડિગ ભેગુ કર્યુ તેનો દૂરૂપયોગ કર્યાનો આરોપ
ગુલબર્ગ સોસાયટીમાં મ્યુઝિયમ બનાવવા વિદેશની ફંડિંગ એકઠુ કર્યુ હતું
સ્થાનિકોના આરોપ મુજબ વિદેશી ફંડિંગ તેમના સુધી નહોતુ પહોંચ્યું
વિદેશમાંથી ઉઘરાવેલા નાણા તીસ્તાએ અંગત કાર્ય માટે વાપર્યા હોવાનો આરોપ
તિસ્તા માટે વિવાદોમાં રહેવાના અનેક બનાવો સામે આવ્યા છે. તીસ્તાની સંસ્થા `સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ' ગુજરાતના રમખાણ પીડિત મુસ્લિમોની મદદનું કાર્ય કરતી હતી. જો કે રમખાણ પીડિતોએ જે તે સમયે તીસ્તા સામે એવી ફરિયાદ કરી હતી કે પીડિતોની મદદના નામે દેશ વિદેશમાંથી ઉઘરાવેલા નાણા તીસ્તાએ અંગત કાર્ય માટે વાપર્યા. 2019માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પણ એવું સામે આવ્યું હતું કે તીસ્તા તેના પતિ જાવેદ અને અન્ય ત્રણ લોકોએ રૂ. 1 કરોડ 51 લાખની છેતરપિંડી કરી હતી.
પૂર્વ IPS અધિકારી આર.બી શ્રીકુમારની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
તો બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ IPS અધિકારી આરબી શ્રીકુમારની પણ ધરપકડ કરી છે. ગુજરાત રમખાણ કેસ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટએ કહ્યું હતું કે રમખાણ મુદ્દે મુખ્યમંત્રીની મિટિંગમાં સહભાગી થવાનો દાવો કરનારું નિવેદન રાજનૈતિક રૂપથી સનસની ઊભી કરનારું હતું. આપને એ પણ જણાવી દઈએ કે સંજીવ ભટ્ટ હિરેન પંડયા અને આરબી શ્રીકુમારે SITના સામે જે જવાબ રજૂ કર્યા હતા તે નિરાધાર અને ખોટા સાબિત તહત્યા છે કારણ કે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ લોકો લો એન્ડ ઓર્ડરની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં ઉપસ્થિત પણ ન હતા.
તિસ્તા સેતલવાડનો છે વિવાદિત ઈતિહાસ
તિસ્તાએ 2019માં મહાકાળી માતાની તુલના ISISના આતંકવાદી સાથે કરતો ફોટો શેર કર્યો હતો. તસવીરમાં એક આતંકવાદીના હાથમાં સુદર્શન ચક્ર દેખાડાયું હતું. હિંદુ માન્યતા પ્રમાણે સુદર્શનને ભગવાન વિષ્ણુનું શસ્ત્ર માનવામાં આવે છે. બીજી તરફ મહાકાળી માતાના ચહેરા પર ISISના આતંકવાદીનો ચહેરો લગાવાયો હતો. તે વખતે ફોટો વાયરલ થઈ ગયો સેતલવાડ સામે વિરોધનો વંટોળ ભભૂકયો હતો.હંગામો થયો તો તીસ્તાએ તરત જ વિવાદીત ફોટો પ્રોફાઈલ પરથી હઠાવી લીધો અને માફી પણ માગી લીધી હતી. આ ફોટો કેસમાં ગુજરાતમાં ત્રણ સ્થળોએ પણ સેતલવાડ સામે પોલીસમાં ફરિયાદ થઈ.
મોદીને ટાર્ગેટ કરવા માટે તિસ્તા સિતલવાડનો ઉપયોગ કરવામાં આવ્યો: ગૃહમંત્રી અમિત શાહ
2002 ગુજરાત રમખાણો પર ગૃહમંત્રી અમિત શાહના ખુલાસા આપતાં જણાવ્યું છે કે ,તે સમયે એવી વાતો ફેલાવવામાં આવી કે ફાયરિંગ માત્ર મુસ્લિમો માર્યા ગયા, પણ હવે કોર્ટે સ્વીકાર્યું છે કે આવું નથી થયું તમણે વધુમાં ઉમેર્યુ હતું કે, લોકોને ટ્રેનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા પણ તે સમયે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈએ ઘટનાની ટીકા પણ ન કરી તેમણે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મોદીજીને ટાર્ગેટ કરવા માટે તિસ્તા સિતલવાડને કેન્દ્ર સરકારે મદદ કરી હતી.