અમરેલીમાં ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ સામસામે આવી ગયા હતા. પોલીસે ભાજપના 2 કાર્યકરોને માર મારતા મામલો બિચકાયો હતો.
ભાજપના કાર્યકર્તાઓને મારમારવાને લઇ રોષ
દિલીપ સંઘાણીએ કરી મુખ્યમંત્રીને રજૂઆત
યોગ્ય કાર્યવાહીની કરી માગ
અમરેલીમાં પોલીસ દ્વારા ભાજપના કાર્યકરોને માર મારવા મામલે રોષ જોવા મળ્યો છે. સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ કહ્યું, અમે CMને રજૂઆત કરી છે. અને જો 2 દિવસમાં કાર્યવાહી નહીં કરાય તો આગળ શું કરવું તે અંગે નિર્ણય લેવાશે. અધિકારી સરકારીની ઇમેજ બગાડી રહ્યા છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે, ASP અભય સોનીએ આવી સીધા અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું અને કોઇ પૂછપરછ વિના સીધા અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું.
અધિકારીઓ કામ કરતા કાર્યકર્તાઓને માર મારવા લાગ્યા હતા. હાલ 2 કાર્યકર્તાઓને સારવાર અપાઇ રહી છે. સમગ્ર મામલા વિશે વાત કરીએ તો વેક્સિનેશનની તૈયારી કરતા ભાજપ કાર્યકર્તાઓને પોલીસે માર્યો હતો. જેને લઇ પોલીસ અધિકારી સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
અમરેલીમાં ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ સામસામે આવી ગયા હતા. પોલીસે ભાજપના 2 કાર્યકરોને માર મારતા મામલો બિચકાયો હતો. વેક્સિનેશનની તૈયારી કરતા ભાજપ કાર્યકર્તાઓને પોલીસે માર માર્યાનો આક્ષેપ થયો છે. 2 કાર્યકરોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ASP અભય સોની સામે દિલીપ સંઘાણીએ ગંભીર આક્ષેપો કર્યા છે. દિલીપ સંઘાણીએ પોલીસવડાને ફોન કરીને નારાજગી વ્યક્ત કરી હતી. સંઘાણીએ પોલીસની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે, અમરેલીમાં વેક્સિનેશન કાર્યક્રમમાં અવરોધ ઉભો કરવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરાયો હતો.