કોંગ્રેસથી નારાજ કેપ્ટન અમરિન્દરને પાર્ટીમાં સામેલ કરાવીને ભાજપ તેમના દ્વારા ખેડૂત આંદોલનનો ઉકેલ લાવી શકે તેવો મોટો સંકેત મળ્યો છે.
ભાજપ કોંગ્રેસની દુખતી રગ ઝડપી
અમરિન્દરને પાર્ટીમાં સામેલ કરાવીને ભાજપ એક કાંકરે બે પક્ષી મારશે
અમરિન્દરને વચમાં રાખીને ખેડૂત આંદોલનનો ઉકેલ લાવી શકે
પંજાબમા ભાજપને મોટો શીખ ચહેરો પણ મળી શકે
કેપ્ટન અમરિન્દરમાં પાર્ટીમાં આવવું ભાજપ માટે બન્ને હાથમાં લાડુ સમાન છે એક તો અમરિન્દર દ્વારા ખેડૂત આંદોલનનો કોઈ તોડ મળી શકે અને બીજું પંજાબમા ભાજપને એક મોટો ચહેરો પણ મળી શકે. ભાજપ અમરિન્દરને વચમાં રાખીને ખેડૂત આંદોલનનો ઉકેલ લાવી શકે છે.
કેપ્ટન અમરિન્દર અમિત શાહને તેમના ઘેર જઈને લગભગ 45 મિનિટ સુધી મળતા રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.
સૂત્રોનો દાવો છે કે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જશે. ભાજપમાં જોડાવાને પગલે તેમને રાજ્યસભા સાંસદ બનાવીને કોઈ મોટા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી શકે. કેપ્ટનને કૃષિ મંત્રી બનાવાય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. ખેડૂતોને મનાવવા ભાજપ કેપ્ટનને માથે જવાબદારી ઢોળી શકે છે તેવું પણ મનાઈ રહ્યું છે. જોકે આ બધી અટકળો છે.
Met Union Home Minister @AmitShah ji in Delhi. Discussed the prolonged farmers agitation against #FarmLaws & urged him to resolve the crisis urgently with repeal of the laws & guarantee MSP, besides supporting Punjab in crop diversification. #NoFarmersNoFood
કેપ્ટનનો યોગ્ય ઉપયોગ કરવાની રણનીતિ પર વિચાર-ભાજપના સૂત્રો
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટી કેપ્ટનનો યોગ્ય ઉપયોગ કરવાની રણનીતિ પર વિચાર કરી રહી છે. તેમને પાર્ટીમાં સામેલ કરાવીને એક ચહેરા તરીકે રજૂ કરવાનું યોગ્ય રહેશે કે કેપ્ટન અમરિન્દરના નેતૃત્વમાં એક રાજકીય પક્ષની રચના થશે અને ભાજપ બહારથી તેને ટેકો આપે તે સંભાવના પર પણ વિચાર થઈ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
‘Met Union Home Minister @AmitShah in Delhi. Discussed the prolonged farmers’ agitation against #FarmLaws & urged him to resolve the crisis urgently with repeal of the laws & guarantee MSP, besides supporting
Punjab in crop diversification’: @capt_amarinder. (File Pics) pic.twitter.com/ENZMj2IM7B
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ટ્વીટ કર્યું કે ખેડૂતોના આંદોલન અંગે ચર્ચા થઈ રહી છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જીને મળ્યા હતા. કૃષિ કાયદાઓ સામે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની ચર્ચા કરી અને તેમને કૃષિ કાયદાઓ રદ કરવા અને પાક વૈવિધ્યકરણમાં પંજાબને ટેકો આપવા ઉપરાંત MSP ની ગેરંટી સાથે કટોકટીનો તાત્કાલિક ઉકેલ લાવવાની વિનંતી કરી.
કેપ્ટન ટૂંક સમયમાં ફરી શાહને મળશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેપ્ટન અમરિંદર સિંહ અને અમિત શાહ વચ્ચે ખેડૂતોના કૃષિ કાયદાના મુદ્દે ઘણી બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે, જેના માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા માટે સંમતિ આપવામાં આવી છે. આ સાથે, કેપ્ટન અમરિંદરે અમિત શાહને વિનંતી કરી છે કે ખેડૂતોને આગામી ડાંગરના પાકને લઈને કોઈ સમસ્યાનો સામનો ન કરવો. ભૂતપૂર્વ સીએમ અમરિંદર સિંહે પંજાબ માટે સીસી મર્યાદા જલ્દી જારી કરવાની વાત કરી છે, જેથી ખેડૂતોને ચુકવણી માટે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને મંડીઓમાંથી પાક સરળતાથી ઉપાડી શકાય.
પ્રધાનમંત્રી મોદીને પણ મળશે કેપ્ટન
સૂત્રોના જણાવ્યા અનુસાર કેપ્ટન અમરિંદર સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ટૂંક સમયમાં બીજી બેઠક થશે અને આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં અંતિમ વાત થશે.