પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરનાર મમતા બેનર્જીનો શ્રીરામના સૂત્રોચ્ચારથી પીછો છૂટતો નથી દેખાઈ રહ્યો. ભાજપે મમતા બેનર્જીના નિવાસસ્થાને 10 લાખ પોસ્ટકાર્ડ મોકલવાનો નિર્ણય કર્યો છે. આ પોસ્ટકાર્ડ પર જય શ્રીરામ લખેલું હશે.
તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીમાં ભાજપે બંગાળની 42માંથી 18 બેઠક પર જીત મેળવી છે. ત્યારે હારનો સામનો કરી રહેલા મમતા બેનર્જીની કારની આગળ લોકો શ્રી રામના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ત્યારે મમતા બેનર્જી તેમના પર ભડક્યા હતા. જોકે હવે ભાજપ મમતા બેનર્જીના નિવાસસ્થાને શ્રીરામ લખેલા 10 લાખ પોસ્ટર મોકલશે.
Arjun Singh,BJP: CM Mamata Banerjee arrested 10 people for chanting 'Jai Sri Ram', so now BJP will send 10 Lakh postcards with 'Jai Sri Ram' written on them, to her, let her arrest 10 lakh people. It seems she has lost her mental balance pic.twitter.com/RrlIX4EbYh
ઉલ્લેખનીય છે કે, પ.બંગાળના ભાજપના સાંસદ અર્જુન સિંહે કહ્યું કે, અમે રાજ્યના મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર 'જય શ્રી રામ' લખેલા 10 લાખ પોસ્ટકાર્ડ મોલવાનો નિર્ણય લીધો છે.
તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા અર્જુન સિંહ લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયા છે. તેમણે આ વાત બીજેપીના કાર્યકર્તાઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ બાદ કહી છે. જે તે સમયે 'જય શ્રી રામ'નો નારો લગાવી રહ્યા હતા, જ્યાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ બેઠક કરી રહ્યા હતા.