જેમ જેમ મધ્યપ્રદેશ પેટાચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ત્યારે ખાસ કરીને ગુજરાત બાદ મધ્યપ્રદેશમાં પણ આંતરિક સર્વે પ્રમાણે ભાજપને મોટું નુકસાન દેખાઈ રહ્યું છે.
આ કારણે હાલ આ મુદ્દો રાજકીય જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
મધ્યપ્રદેશમાં સરકાર કોની બનશે તેનો નિર્ણય 10 નવેમ્બરે થશે પરંતુ તે પહેલા ભાજપ અને કોંગ્રેસ બને પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યાં છે. જો કે આ વખતે કસોટી બંને પક્ષો માટે રહેશે, ભાજપ જ્યાં સરકાર બચાવવાની કવાયતમાં લાગી રહી છે જ્યારે કોંગ્રેસ કમબેક કરવાની તૈયારીમાં છે. આ વચ્ચે ફરી એક વખત સોશ્યલ મીડિયામાં મધ્યપ્રદેશ કોંગ્રેસે મોટો દાવો કર્યો છે.
ताज़ा सर्वे ने उड़ाई बीजेपी की नींद-
—कमलनाथ जी का मुख्यमंत्री बनना तय।
મધ્યપ્રદેશ કોંગ્રેસે દાવો કર્યો છે કે 28માંથી 28 સીટ કોંગ્રેસ જીતી રહી છે અને કમલનાથ ફરી એક વખત મુખ્યમંત્રી બનશે. MP કોંગ્રેસ ટ્વિટ કરીને લખ્યું કે હાલના સર્વેએ ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. એક પણ સીટ પર જીતની સંભાવના નથી. સર્વે અનુસાર કોંગ્રેસ 28, ભાજપ 0 અને અન્ય 0 છે. લોકતંત્ર જીતી રહ્યું છે નોટતંત્ર હારી રહ્યું છે. જ્યારે બીજી ટ્વિટમાં લખ્યું કે સર્વેએ ભાજપની ઊંઘ ઉડાવી દીધી છે. કમલનાથજીનું મુખ્યમંત્રી બનવું નક્કી છે.
ताज़ा सर्वे ने उड़ाई बीजेपी की नींद-
—एक भी सीट पर जीत की संभावना नहीं।
सर्वे के अनुसार-
कांग्रेस - 28
बीजेपी - 0
अन्य - 0
જો કે આ પહેલી વખત નથી અને આ પહેલા પણ કોંગ્રેસ ઘણી વખત દાવા કરી ચૂકી છે. હાલમાં જ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરાઈ તે દરમ્યાન પણ કોંગ્રેસે દાવો કર્યો હતો કે 30 દિવસની અંદર પ્રદેશમાં ફરી કમલનાથ સરકાર બનશે. 'જનતા ખડી હૈ સાથ, જીત રહે હે કમલનાથ'ના દાવા પણ કરાયા હતાં.