છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે BJP પર મોટો હુમલો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું કહેવું છે કે ભાજપે કર્ણાટકમાં લોકતંત્ર દ્વારા ચૂંટવામાં આવેલી સરકારને સત્તા અને પૈસાના પ્રભાવથી તોડી પાડી હોય, પરંતુ તે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એવું નહીં કરી શકે.
છત્તીસગઢના મુખ્યંમંત્રી ભૂપેશ બઘેલે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ''લોકતંત્રમાં ચૂંટવામાં આવેલી સરકારને સત્તા અને પૈસાના પ્રભાવથી તોડી પાડવાનો પ્રયાસ કરશે તો, લોકતંત્ર માટે ઘાતક હશે...BJP અનેક પ્રદેશોમાં એવું કરી રહી છે, જે ઠીક નથી. તમે એમ ઇચ્છો કે આપના સિવાય કોઇ ન રહે, તો એ તાનાશાહી પ્રવૃત્તિ છે. છત્તીસગઢમાં એવું થવાના કોઇ સંકેત નથી. કર્ણાટકમાં કર્યું, પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ નહીં કરી શકે.''
કોંગ્રેસે કર્ણાટકમાં પોતાના બળવાખોર 14 'પૂર્વ ધારાસભ્યો'ને પાર્ટી વિરોધી ગતિવિધિઓને આરોપમાં મંગળવારે નિષ્કાસિત કરી દીધા છે. જેમને કેટલાક દિવસો પહેલા જ વિધાનસભા અધ્યક્ષ દ્વારા અયોગ્ય ઠેરાવામાં આવ્યા હતા. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલની તરફથી જાહેર કરાયેલ નિવેદન મુજબ કર્ણાટક (Karnataka) કોંગ્રેસ તરફથી આપવામાં આવેલ પ્રસ્તાવને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ સ્વીકૃતિ પ્રદાન કરી દીધી છે.
કર્ણાટક પ્રદેશ કમિટીએ આ નેતાઓને પાર્ટીની નીકાળવા જણાવ્યું હતું. તમામ 14 બળવાખોર ધારાસભ્યોએ કેટલાક સપ્તાહ પહેલા પાર્ટીથી બગાવત કરતા રાજીનામુ સોંપ્યું હતું. જે બાદ પાર્ટીએ તેમની વિરુદ્ધ દળબદલુ વિરોધી કાનૂન હેઠળ કાર્યવાહીની માંગ કરી હતી.
કેટલાક દિવસો પહેલા વિધાનસભા અધ્યક્ષને તમામ એમએલએની સદસ્યતા રદ્દ કરી દેવાઇ હતી. જે બાદ ભાજપના બીએસ યેદીયુરપ્પાનો મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થયો હતો. કર્ણાટક વિધાનસભા સ્પીકરે આ પહેલા ત્રણ ધારાસભ્યો દળબદલૂ કાનૂન હેઠળ અયોગ્ય ઠેરાવ્યા હતા. કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમાર દ્વારા નિષ્કાસિત કર્યા બાદ જેડીએસ-કોંગ્રેસના 17 બળવાખોર ધારાસભ્યો કર્ણાટક વિધાનસભાના સભ્ય રહ્યો નહોતા.