આ ચૂંટણીમાં ભાજપ ઓછામાં ઓછા 25 ટકા નવા ચહેરાઓને મોકો આપશે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ સહિતના નેતાઓને નહી મળે ટિકિટ; સૂત્રો
ભાજપ 25 ટકા બેઠકો પર જુના ઉમેદવારોને ટિકિટ નહી આપે
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન નહી મળે ટિકિટ:સૂત્ર
ભાજપનો લક્ષ ભવ્ય રેકોર્ડ બનાવવાનો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈ રાજકીય માહોલ ગરમાયો છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ગુજરાત ઇલેક્શનમાં ભાજપના કેટલાક ઉમેદવારોના નામ ફાઈલન જેવા જ છે તો વળી બીજી મહત્વની વિગતો પણ સામે આવી રહી છે. સૂત્રો મારફતે એવી પણ માહિતી મળી રહી છે કે, તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ચૂંટણીમાં ઓછામાં ઓછા 25 ટકા નવા ચહેરાઓને સ્થાન આપવાનો સંકેત આપ્યો છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે પાર્ટી સંસદીય બોર્ડ આ અંગે નિર્ણય લેશે. હવે ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાર્ટી હાઈકમાન્ડે ગુજરાત ચૂંટણી માટે તમામ ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘણા મોટા અને મજબૂત નેતાઓને મેદાનમાં ઉતારવાને બદલે બીજાઓને જીતાડવાની જવાબદારી સોંપાઈ શકે છે. આ વખતે પાર્ટી ઘણા એવા ચહેરાઓને મેદાનમાં ઉતારશે જે બિલકુલ નવા હશે.
વિજય રૂપાણીની નહીં મળે ટિકિટ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જે ભાજપ 25 ટકા બેઠકો પર જુના ઉમેદવારોને ટિકિટ નહી આપે. તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પાર્ટીએ વિજય રૂપાણીને પહેલેથી જ કહી દીધું છે કે આ વખતે તેઓ ચૂંટણી નહીં લડે અને પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે તેમજ ભાજપના અગ્રણી નેતા નીતિન પટેલ, સૌરભ પટેલ જેવા નેતાઓને પણ ટિકિટ નહી મળે તેવુ માનવમાં આવી રહ્યું છે.
હાર્દિક અને અલ્પેશ પર મ્હોર લાગશે
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે સીટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપ્યા બાદ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સિવાય પાર્ટી જામનગરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી શકે છે.
ભાજપનો લક્ષ ભવ્ય રેકોર્ડ બનાવવાનો
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર કે, હાઈકમાન્ડે આ વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીની જીતના સમગ્ર રેકોર્ડને તોડવાનો ટાર્ગેટ આપ્યો કર્યો છે. પાર્ટીએ નિર્ધાર કર્યો છે કે, ભાજપને ઓછામાં ઓછી 150 બેઠકો જીતવાની છે. આ લક્ષ્ય પૂરુ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં સતત સક્રિય છે. પાર્ટીના નેતાઓનો દાવો છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આગમન બાદ આ લક્ષ્ય સરળ બન્યું છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન પહોંચાડશે અને ભાજપને લાભ થશે.
4100માંથી 182 ઉમેદવારો લડશે
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભા ચૂંટણી માટે કુલ 4100થી વધુ ઉમેદવારોએ ટિકિટની માગણી કરી છે. પાર્ટીએ આ તમામ ઉમેદવારોમાંથી 182 ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણી એવી વિધાનસભા બેઠકો છે જેમાં 50 થી 90 ઉમેદવારોએ ટિકિટની માગણી કરી છે. જો કે તેમાંથી ભાજપના કોર ગ્રૂપે દરેક બેઠક માટે 3-4 જેટલા ઉમેદવારોના નામ નક્કી કર્યા છે અને જેમાંથી ગણતરીની ઘડીમાં ઉમેદવારોના નામ જાહેર થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી ભાજપમાં કેટલાક નેતાઓની ટિકિટ નક્કી છે, જુઓ આ યાદી