જમ્મૂ કાશ્મીરમાં 72 વર્ષનો ઈતિહાસ બદલાવવાનો છે એવી દહેશત દેખાઈ રહી છે. દિલ્હી અને કાશ્મીરમાં થઈ રહેલી હલચલ મુજબ ભાજપ કંઈક નવા જુની કરે તેવાં એંધાણ છે. રહી વાત આર્ટિકલ 370 અને 35 Aની આ મુદ્દે ભાજપે 2019ના ચૂંટણી સંકલ્પપત્રમાં જ સ્પષ્ટતા કરી દીધી છે. જોકે આ સ્પષ્ટતાં મુજબ જ મોદી-શાહ ચાલી રહ્યા હોય તેવું નિશ્ચિત છે.
ગૃહમંત્રી અમિત શાહ ઘણી વખત ઉચ્ચસ્તરીય મીટિંગ કરી ચૂક્યા છે. તો સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની સુરક્ષા મામલાઓને સીમિત CCSની બેઠક થઇ. એવામાં દરેક લોકોના મનમાં સવાલ થઇ રહ્યો છે કે, કાશ્મીરના મામલા પર શું નિર્ણય લેશે મોદી સરકાર? તમને જણાવી દઇએ કે, ભાજપે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન જમ્મૂ-કાશ્મીરના મામલાને કેટલાક વચનો આપ્યા હતા. અટકળો લાગી રહી છે મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળમાં સંકલ્પ પત્રના વચનો પૂરા કરવા જઇ રહી છે.
ભાજપે શું લખ્યુ હતુ સંકલ્પ પત્રમાં:
ભારતીય જનતા પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણી માટે કુલ 48 પાનાનો સંકલ્પ પત્ર તૈયાર કર્યો હતો. જેના પાના નંબર 14 પર જમ્મૂ-કાશ્મીર આર્ટકિલ 370ના કૉલમમાં 35Aના મામલા પર ભાજપે સ્પષ્ટ કર્યુ...
- અમે આર્ટિકલ 35 A ખત્મ કરવા માટે પ્રતિબદ્ઘ છે. અમારું માનવુ છે કે, આર્ટિકલ 35 A જમ્મૂ-કાશ્મીરના ગૈર સ્થાયી નિવાસીઓ અને મહિલાઓ વિરુદ્ઘ ભેદભાવપૂર્ણ છે. આ આર્ટિકલ જમ્મૂ-કાશ્મીરના વિકાસ માટે બાધારૂપ છે. રાજ્યના તમામ નિવાસીઓ માટે એક સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે પગલુ ઉઠાવવામાં આવશે.
- અમે કાશ્મીરી પંડિતોની સુરક્ષિત વાપસીને સુનિશ્ચિત કરવા માટે પ્રયત્ન કરીશું.
- અમે પ્રશ્ચિમી પાકિસ્તાન, PoK અને છંબથી આવેલા શરણાર્થીને પુનર્વાસ માટે નાણાકીય મદદ કરીશું.
- આ સિવાય ભાજપે સંકલ્પ પત્રમાં લખ્યુ છે, ''ગત 5 વર્ષોમાં અમે નિર્ણાયક કાર્યવાહી અને દ્દઢ નીતિની મદદથી જમ્મૂ-કાશ્મીરમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે પ્રયત્ન કર્યા છે. રાજ્યના તમામ ક્ષેત્રોના વિકાસમાં આવનારી તમામ બાધાઓને દૂર કરી અને રાજ્યના દરેક ક્ષેત્ર પર્યાપ્ત સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે અમે પ્રતિબદ્ઘ છે. ''
માનવામાં આવી રહ્યુ છે કે, ભાજપ પોતાના સંકલ્પ પત્રમાં કરેલા વચનો પૂરા કરે છે તો પછી આર્ટિકલ 35A હટાવી શકે છે. આ સિવાય કાશ્મીરી પંડિતોની ઘર વાપસી અને પ્રશ્ચિમી પાકિસ્તાન, PoKથી આવેલા હિંદૂ શરણાર્થીઓને પૂનર્વાસ માટેની સુવિધા સરકાર કરશે. શરણાર્થીને ભારતીય નાગરિકતા આપવા માટે સરકાર પહેલ કરી ચૂકી છે. આ માટે બિલ તૈયાર કરવામાં આવ્યુ છે.
આ બિલ સાંસદમાંથી પસાર થાય તે માટે રાહ જોવા રહી છે. આ બિલ પાસ થયા પછી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફધાનિસ્તાનથી આવેલા હિંદૂ, સિખ વગેરેને ભારતીય નાગરિકતા મળશે. તો સંસદની મદદથી આર્ટિકલ 370 દૂર કરવાનો નિર્ણય થઇ શકે છે. જોકે આર્ટિકલ 370 સંસદની મદદથી લાગૂ થયો હતો, આ કારણે સંસદની મદદથી તેને દૂર કરી શકાય. જ્યારે આર્ટિકલ 35 A રાષ્ટ્રપતિના હસ્તાક્ષરથી લાગૂ થયો હતો, જે કારણે આ પ્રક્રિયાને પણ સરળતાથી હટાવી શકાય છે.