રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP ) એ શનિવારે ભાજપ ( BJP ) પર વિધાનસભાથી ભાગવાનો આરોપ લગાવ્યો. ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray )ના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી સરકારના વિશ્વાસમત ( Maharashtra Floor Test )થી પહેલા ભાજપે ગૃહથી વૉક આઉટ કર્યો. શિવસેના-એનસીપી- કોંગ્રેસ ગઠબંધન સરકારે ગૃહમાં થયેલ મતદાનમાં 169 મતોની સાથે વિશ્વાસ મત હાંસલ કર્યો. 288 સદસ્યોના ગૃહમાં મતદાન પહેલા ભાજપાના 105 ધારાસભ્યોએ વૉક આઉટ કર્યો.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ શનિવારે ભાજપ પર વિધાનસભાથી ભાગવાનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્ર સરકારના વિશ્વાસમત પહેલા ભાજપે ગૃહથી વૉક આઉટ કર્યો
સુપ્રિયા સુલેએ કહ્યું કે ભાજપ વિશ્વાસમતથી ભાગી ગઇ
ભાજપના ધારાસભ્યોએ વૉક આઉટ કરતા પહેલા સત્ર આયોજિત કરવા અને પાર્ટીના કાલીદાસ કોલંબકરના સ્થાને કાર્યકારી અધ્યક્ષ તરીકે NCP નેતા દિલીપ વાલ્સે પાટિલની નિમણૂક પર આપત્તિ દર્શાવી. એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની મંજૂરી સાથે વાલ્સે પાટિલને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. રાજ્યપાલની મંજૂરી બાદ જ સત્ર આયોજિત કરવામાં આવ્યું.
મલિકે કહ્યું કે, તેઓને ગૃહમાંથી ભાગવા માટે કોઇ બહાનું જોઇતું હતું તેથી આ હંગામો કર્યો. દેવેન્દ્ર જી ( ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ ) ને વરિષ્ઠ ભાજપ નેતા એકનાથ ખડસેથી શીખ લેવી જોઇએ કે, એક વિપક્ષી નેતાએ કેવી રીતે કામ કરવું જોઇએ. એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ પણ કહ્યું કે ભાજપ વિશ્વાસમતથી ભાગી ગઇ. તેઓએ કહ્યું કે, અમે પૂર્ણ રીતે લોકતંત્રમાં માનીએ છીએ. અમે વિપક્ષની અવાજ દબાવીશું નહીં. અમારા માટે આ ખાનગી લડાઇ નથી. અમે પ્રેમથી તેઓનું હૃદય જીતીશું.
સુપ્રિયા સૂલે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ક્યારેય પ્રતિસ્પર્ધાની ભાવના નથી દેખાઇ. અમારી સરકાર પ્રતિસ્પર્ધાની ભાવનાથી કામ નહીં કરે. જ્યારે વિશ્વાસ મત ચાલી રહ્યો હતો ત્યારે તેઓ ભાગી ગયા. કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે કહ્યું કે ફડણવીસને ખુલ્લા હૃદયથી ઉદ્ધવ ઠાકરેનું સ્વાગત કરવું જોઇતું હતું. પરંતુ તેની જગ્યાએ તેઓએ મામૂલી ટેક્નિકલ મુદ્દો ઉઠાવ્યો. આ ઠીક નથી.