વાયરલ વીડિયાના મુદ્દે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના નિવેદન બાદ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાની પ્રતિક્રિયા સામે આવી....
ભરત બોઘરાએ કર્યા AAP પર પ્રહાર
આ ગુજરાતનાં સંસ્કાર નથી: બોઘરા
"પાટીદાર સમાજ આ વીડિયોથી નારાજ"
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામતો જોવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી માટે આ વખતે ત્રણ પાર્ટીઓ મેદાનમાં ઉતરી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય પક્ષ આ વખતે ગુજરાતમાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે જે કોઈ પણ બાબતમાં કસર છોડવા માગતા નથી. નેતાઓના આંટા ફેરા અને એકબીજા પક્ષ કે નેતા પર આરોપ-પ્રતિઆરોપ શરૂ થયા છે અને ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ ભરપૂર ચૂંટણીના મુડમાં છે. ગોપાલ ઈટાલિયાના વાયરલ વીડિયાના મૂદ્દે અને પાટીદાર રાગ આલાપ્યો હતો તે બાબતે ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ ઈટાલિયા પર પ્રતિક્રિયા આપી છે.
ભરત બોઘરાની પ્રતિક્રિયા
ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઇટાલિયાનાં વાયરલ વીડિયો અંગે ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ પ્રતિક્રિયા આપી છે. ભરત બોઘરાએ ઈટાલિયા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા જે શબ્દો પ્રયોગ કર્યો તે ગુજરાતના સંસ્કારો નથી. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારના શબ્દો સરદારના વંશજ પાટીદાર સમાજને ક્યારેય ના શોભે. ભરત બોધરાએ કહ્યું હતું કે, પાટીદાર સમાજના લોકો આ વાતથી નારાજ અને દુઃખી છે. તેમણે કહ્યું હતું કે પાટીદાર સમાજ આ વીડિયોથી નારાજ છે. તેમણે કહ્યું કે, આ પ્રકારે ગોપાલ ઇટાલિયા શબ્દ પ્રયોગ કરશે તો પાટીદાર સમાજ રોડ ઉપર ઉતરશે
વીડિયા વિવાદમાં એકબીજા પર પ્રહાર
AAPના ગોપાલ ઇટાલીયાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરતાંનો જણાવી ભાજપે ઈટાલિયા પર પ્રહાર કર્યા છે. ગોપાલ ઈટાલિયા તે બાબતે વિવિધ નિવેદનો આપે છે તો તે બાબતે ભાજપ પણ વળતા પ્રહાર કરે છે સમગ્ર બાબતને લઈ ઈટાલિયાનું એક નિવેદન છે કે જૂના વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે તે અનુસંધાને ભરત બોઘરા કહ્યું તે આ પ્રકારના શબ્દો સરદારના વંશજ પાટીદાર સમાજને ક્યારેય ના શોભે.