જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં આંતકવાદીઓએ બીજેપી નેતાની ગોળી મારી હત્યા નાંખી છે. આ ઘટના અનંતનાગના વેરિંગની છે.
જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં આંતકવાદીઓએ બીજેપી નેતાની ગોળી મારી હત્યા નાંખી છે. આ ઘટના અનંતનાગના વેરિંગની છે. રિપોર્ટ અનુસાર અનંતનાગ જિલ્લાના નૌગામ ગામમાં હથિયારોથી લેસ આતંકવાદી અનંતનાગ જિલ્લાના બીજેપી ઉપાધ્યક્ષ ગુલ મોહમ્મદ મીરના ઘરે તેમના પર ગોળીઓ વરસાવી હત્યા કરી નાંખી.
ઘાયલ ગુલ મોહમ્મદ મીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં ફરજ પર હાજર ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. બીજેપીના રાજ્ય પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું, 60 વર્ષના ગુલ મોહમ્મદ મીર અબ્દુલ કરીમ મીર પર આતંકીઓએ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું, મીરને ચાર ગોળીઓ મારવામાં આવી હતી. હોસ્પિટલમાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
જમ્મૂ-કાશ્મીર બીજેપીએ આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું, બીજેપી આંતકવાદીઓની કરતૂતો આગળ નહીં ઝૂકે. હાલ અનંતનાગમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. તેથી સુરક્ષા બંદોબસ્ત કડક કરવામાં આવ્યો છે. છતા આતંકી હથિયારો લઇને ઘટનાસ્થળે પહોંચવામાં સફળ રહ્યા. અને ગોળીબારી કરી ફરાર થયા.
જમ્મૂ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓની ધરપકડ માટે વિસ્તારમાં સઘન તપાસ અભિયાન શરૂ કરી દીધું છે. આસપાસથી પસાર થઇ રહેલા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે.