ભાજપના એક ધારાસભ્ય પક્ષથી નારાજ થયા છે. ભાજપના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર રાજીનામુ આપી શકે છે. સાંસદ મિતેષ પટેલ દ્વારા અવગણના કરાતી હોવાનો ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરાયો છે. ગોવિંદ પરમારના આક્ષેપ મામલે સાંસદે કંઇ પણ કહેવાનું ટાળ્યું છે.
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર રાજીનામુ આપી શકે છે
સાંસદ મિતેષ પટેલ દ્વારા અવગણના કરાતી હોવાનો આક્ષેપ
સંગઠન દ્વારા ગોવિંદ પરમારને મનાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ
ભાજપના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર પક્ષથી નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. ગોવિંદ પરમારે સાંસદ મિતેષ પટેલ અને સ્થાનિક સંગઠન દ્વારા અવગણના થતી હોવાના આક્ષેપ લગાવ્યા છે. સંગઠન દ્વારા કોઈપણ પગલાં ન લેવાતા રાજીનામુ આપી શકે છે. મિતેષ પટેલના જ્ઞાતિવાદી વલણની ગોવિંદ પરમારે રજુઆત કરી હતી. સંગઠનમાં રજુઆત બાદ કોઈ ઉકેલ ન આવતા રાજીનામુ આપી શકે છે. જેને લઇને હવે સંગઠન દ્વારા ગોવિંદ પરમારને મનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
સમગ્ર મામલે મને કોઈ ખ્યાલ નથીઃ સાંસદ મિતેષ પટેલ
આણંદના સાંસદ પર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે આક્ષેપ લગાવ્યા હતા. ત્યારે આણંદના સાંસદ મિતેષ પટેલે સમગ્ર મામલે કહેવાનું ટાળ્યું છે. મિતેષ પટેલે કહ્યું કે, સમગ્ર મામલે મને કોઈ ખ્યાલ નથી. હું કંઈ વાત જાણતો નથી, હું તપાસ કરું છું.