શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે છેલ્લી મહારાષ્ટ્ર સરકારમાં શિવસેના સાથે ભાજપનો વ્યવહાર નોકર જેવો હતો.
શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતનું નિવેદન
ભાજપે શિવસેના સાથે નોકર જેવો વ્યવહાર કર્યો હતો
શિવસેનાને પાંચ વર્ષ સુધી સીએમ પદનું વચન મળ્યું છે
જલગાંવમાં શિવસેના કાર્યકરોની વચ્ચે રાઉતે કહ્યું કે રાજ્યમાં જે છેલ્લી સરકાર બની હતી તેમાં શિવસેનાને બીજા નંબરનો દરજ્જો અપાયો હતો. અમારી સાથે નોકર જેવો વ્યવહાર કરવામાં આવ્યો. એટલુ જ નહીં પરંતુ જે પાર્ટીના સમર્થનમાં ભાજપ સત્તા પર આવ્યો, તે સત્તાનો ઉપયોગ કરીને અમને ખતમ કરવાની કોશિશ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં સીએમ શિવસેનાના જ હોવા જોઈએ
રાઉતે કહ્યું કે મારુ હમેંશા એવું માનવું રહ્યું છે કે મહારાષ્ટ્રમાં સીએમ શિવસેનાના જ હોવા જોઈએ. ભલે શિવસેનિકને કંઈ ન મળે પરંતુ અમે ગર્વથી એવું તો કહી શકીએ કે મહારાષ્ટ્રની સત્તા શિવસેનાના નેતાના હાથમાં છે. મહા વિકાસ અઘાડી સરકાર આ ભાવના સાથે રચાઈ હતી. જે અજિત પવાર સરકારની રચના માટે ભાજપની સાથે ગયા હતા તે આજે અમારા ગઠબંધનના સૌથી મજબૂત પ્રવક્તા છે.
શિવસેનાને પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી પદનું વચન અપાયું છે.
સંજય રાઉતે સામનામાં લખ્યું કે શિવસેનાને પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી પદનું વચન અપાયું છે. હાલમાં પરિવર્તન થાય તેવી કોઈ સંભાવના જણાતા નથી. ભાજપે ચૂંટણી પહેલા શિવસેનાને મુખ્યમંત્રી પદનું વચન આપ્યું હતું પરંતુ પાછળથી તે ફરી ગયો. આથી વ્યથિત થઈને શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને નવી સરકારની રચના કરી હતી.
પ્રધાનમંત્રી મોદી ઉદ્ધવ ઠાકરેને કદી પણ મુખ્યમંત્રી ન બનવા દે-સંજય રાઉત
રાઉતે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી તરફથી ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદની ખાતરી મળવી લગભગ ના બરોબર છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે બન્ને પાર્ટીઓની વચ્ચેનો વિવાદ મુખ્યમંત્રીની ખુરશી અંગે હતો. સીએમ ઉદ્ધવ અને પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બાદ જે પ્રકારની અટકળબાજી ચાલી રહી છે તે નિરર્થક છે. મહારાષ્ટ્રમાં હાલની સરકારની વચ્ચે સારો તાલમેલ છે. કોંગ્રેસ-એનસીપીના નેતા સીએમ ઉદ્ધવ ઠાકરેના કામમાં દખલ આપતા નથી. મુખ્યમંત્રી પોતાના તમામ નિર્ણય જાતે લે છે.