મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ માટે કમલનાથ સરકાર માટે આગામી 48 કલાક અતિ મહત્વના છે. મળતી માહિતી મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઇ શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ PM નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક વખત જ્યોતિરાદિત્ય સિંધિયાને પૂર્વ CM શિવરાજસિંહ ચૌહાણ મળ્યા છે.
કમલનાથ સરકાર માટે 48 કલાક મહત્વના
જ્યોતિરાદિત્ય સિંધિયાએ PM મોદી સાથે કરી મુલાકાત
ભાજપમાં સામેલ થઇ શકે છે જ્યોતિરાદિત્ય સિંધિયા
આગામી 48 કલાકમાં જ્યોતિરાદિત્ય સિંધિયા મોટો નિર્ણય લઇ શકે છે. હાલમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં લાવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેમાં રાજ્યસભાથી લઇ ડેપ્યુટી સીએમ સુધીની ફોર્મ્યૂલા પણ તૈયાર છે. આ માટે માત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાની 'હા' તમામ બાબત પર નિર્ભર છે.
ભાજપના સૂત્રો કહી રહ્યાં છે કે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું મોકલી શકે છે. જે બળવાખોર ધારાસભ્ય રાજીનામા આપે તેની 20 સંખ્યા થશે. જો આમ થાય તો કમલનાથ સરકાર લઘુમતિમાં આવી શકે અને ત્યારબાદ શિવરાજસિંહ ચૌહાણ સરકાર બનાવા દાવો કરી શકે છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાને શું મળી શકે ?
એક ચાલતી અટકળો વચ્ચે એવું માનવામાં આવી રહ્યું છે કે જો જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાવાનો નિર્ણય કરે છે તો તેમનો સરકારમાં શું રોલ હોય શકે. જેના પર ભાજપના સૂત્રો જણાવી રહ્યાં છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના સમર્થનતી રાજ્યસભામાં મોકલી શકાય.
મધ્ય પ્રદેશમાં સરકાર બનાવા કેવું છે સમીકરણ...
મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા સીટ છે. રાજ્યમાં 2 ધારાસભ્યનું નિધન થઇ ઘયુ હોય ત્યાર બાદ હાલ 228 બેઠક છે. હાલ તો કોંગ્રેસની પાસે 114 ધારાસભ્ય છે, અને હાલ સરકાર બનાવવા માટે જાદુઇ આંકડો 115 છે. કોંગ્રેસને 4 અપક્ષ, 2 BSP અને 1 SP ધારાસભ્યનું સમર્થન મળ્યું છે. આ રીતે કોંગ્રેસની પાસે કુલ 121 ધારાસભ્યનું સમર્થન છે જ્યારે ભાજપની પાસે 107 ધારાસભ્ય છે.
જો જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથન બળવો કરે તો...
જો જ્યોતિરાદિત્ય સિંધિયાના 17 ધારાસભ્યો કોંગ્રેસ છોડી દે તો રાજ્યમાં કોંગ્રેસ પાસે 97 ધારાસભ્ય રહી જશે. એવામાં 4 અપક્ષ, 2 BSP અને 1 SP ધારાસભ્યના સમર્થ પછી પણ 104 ધારાસભ્યો થશે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્યો છે. એવામાં કુલ 19 બેઠક ખાલી થઇ જતાં ભાજપ સરકાર બનાવી શકે છે.