ભાજપે મહાસચિવ રામમાધવે કશ્મીર ઘાટીમાં વિસ્થાપિતોને લઈને મહત્વની વાત કરી છે. કશ્મીર ઘાટીમાં જ્યા હિદુઓની સંખ્યા ઓછી છે ત્યાં તેમને હિંદુઓને ફરી વસાવવામાં આવશે. ખાસ કરીને હિંદુ બહુમતિ ધરાવતા વિસ્તારોમાં હિંદુઓનું પુનર્વસન કરાવાશે. આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.
ભાજપ મહાસચિવ રામ માધવે કશ્મીર ઘાટીમાં હિંદુઓના પુનર્વસનને લઈને મહત્વની વાત કરી છે. ભાજપ મહાસચિવ રામ માધવે કહ્યું કે, પાર્ટી કશ્મીર ઘાટીમાં વિસ્થાપિત હિન્દુઓના પુનર્વાસની તૈયારી કરી રહી છે. કશ્મીર ઘાટીમાં મુસ્લિમ બહુમતિ વિસ્તારોમાં હિન્દુઓને ફરીથી વસાવવામાં આવશે. આ પ્રસ્તાવને મોટાભાગે ઉપલી કક્ષાએ મંજૂરી મળી ચૂકી છે.
વધુમાં તેમણે કહ્યું કે, કશ્મીરી હિન્દુઓને પંડિત પણ કહેવામાં આવે છે. 1989માં કશ્મીર ઘાટીમાં હિન્દુઓ વિરુદ્ધ હથિયારબંધ વિદ્રોહ શરૂ થયો હતો. તેના લીધે લગભગ 2 થી 3 લાખ પંડિત ઘાટી છોડીને જતા રહ્યાં હતાં. તેમનું પાછા ફરવું એ તેમનો મૌલિક અધિકાર છે અને તેનું સન્માન કરવામાં આવશે.
તેમને ફરી રાજ્યમાં સ્થાપિત કર્યા બાદ સુરક્ષા પણ આપવામાં આવશે.અત્યારે કશ્મીર ઘાટીમાં 70 લાખ લોકો રહી રહ્યાં છે જમાં 97 ટકા મુસ્લિમ છે. ઘાટીમાં આતંકી ઘટનાઓ અને તણાવને લઇને સેના સહિત અન્ય સુરક્ષાદળો ત્યાં તહેનાત રહેશે. ગત 3 દાયકાઓમાં કશ્મીરમાં 50 હજાર લોકો માર્યા ગયાં છે.
આપને જણાવી દઇએ કે, આ પહેલા પણ આ પ્રકારના નિવેદન ભાજપના નેતાઓએ કર્યા હતા. આ પહેલા ફારુક અબદુલ્લાએ પણ નિવેદન કર્યું હતુ કે કશ્મીરી પંડીતો વગર ઘાટી અધૂરી છે.અને કશ્મીર ઘાટીમાં કુસલમાનો અને હિંદુઓ સાથે મળીને રહે તેવી માગ કરી હતી. પરંતુ અત્યાર સુધી તે શક્યતા નથી. હવે આ મામલે કશ્મીરના પ્રભારી અને ભાજપના મહાસચિવ રામ માધવે નિવેદન આપતા મામલો ફરી ગરમાયો છે.
માધવના કહેવા પ્રમાણે ભાજપ અને પીડીપી ગઠબંધન સરકારમાં જમ્મુ કશ્મીરમાં હિન્દુઓ માટે અલગથી અથવા અહીં રહેતા લોકો સાથે ટાઉનશિપ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો…પરંતુ તેના પર કોઇ કામ થયું નહીં. અલગ અલગ એન્ક્લેવના નિર્માણ ક્ષેત્રમાં સ્થાનીય રાજકીય દળો, મુસ્લિમ નેૃત્વ અને હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરનારા સમૂહોથી કોઇ સમર્થન ન મળ્યું. કશ્મીરમાં હિન્દુઓને પુનર્સ્થાપિત કરવા માટે મકાનો બનાવવાના મુદ્દે ગૃહ મંત્રાલયે કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો.