કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આજે ભાજપ દ્વારા સેવ સબરીમાલા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભાજપ દ્વારા આજથી છ દિવસ માટે સેવ સબરીમાલા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાજપ દ્વારા સબરીમાલા ભગવાન અયપ્પા મંદિરની પરંપરા અને રીતિ રિવાજોના સંરક્ષણ માટે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ્ં છે. આ યાત્રા કેરળના કાસરગોડથી શરૂ થઈ છે.
આ યાત્રામાં પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ સામેલ થાય એવી શક્યતા છે. 'સબરીમાલા બચાવો' રથયાત્રાનો માર્ગ એવો બનાવવામાં આવ્યો છે જેના રસ્તામાં 12 ઇસાઇ સમુદાયના સંસ્થાન અને 12 ઇસ્લામી કેન્દ્ર પડશે.
સબરીમાલા મંદિર મામલે થયેલી હિંસામાં પોલીસે 2 હજાર 61 લોકોની ધરપકડ કરી હતી અને 452 લોકો સામે કેસ દાખલ કર્યો છે.