ભાજપ હવે દેશની બહાર પોતાની પહોંચ વધારશે અને આવનારા મહિનામાં પાર્ટી 150થી વધારે દેશોના રાજદૂતો સાથે જોડાવાનો પ્લાન બનાવી રહી છે.
ભારતીય જનતા પાર્ટીનો સ્વર્ણિમ યુગ
દેશની બહાર પણ પાર્ટી પહોંચ વધારશે
150થી વધારે દેશોના રાજદૂત સાથે કરશે સંપર્ક
ભારતીય જનતા પાર્ટી હાલના સમયમાં પોતાના સ્વર્ણિમ કાળમાં છે. હાલમાં જ પાર્ટીએ પોતાનો 42મો સ્થાપના દિવસ મનાવ્યો છે. આ જ ક્રમમાં હવે પાર્ટીએ નિર્ણય કર્યો છે કે, તે દેશની બહાર પોતાની પહોંચ વધારશે અને આવનારા મહિનામાં પાર્ટી 150થી વધારે દેશોના રાજદૂતો સાથે જોડાવાનો પ્લાન બનાવી રહી છે. તેના માટે ભાજપે એક પ્લાન પણ બનાવ્યો છે. આ કાર્યક્રમને લાગૂ કરવા માટે ભાજપના વિદેશ બાબતોના વિભાગ સક્રિય થઈ ચુક્યા છે.
રાજદૂતોને ગ્રુપમાં કર્યા વિભાજીત
હકીકતમાં જોઈએ તો, ભાજપના વિદેશ મામલાના વિભાગોના પ્રમુખ ડો. વિજય ચોથાઈવાલાએ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, તેમના માટે પાર્ટીએ રાજદૂતોને 8-9 ગ્રુપમાં વિભાજીત કર્યા છે. દરેક ગ્રુપમાં લગભગ 10-15 રાજદૂત છે. તેમને આફ્રિકી, પૂર્વ એશિયાઈ, ખાડી, રાષ્ટ્રમંડળ અને ઉત્તરી અમેરિકી દેશો સહિત ગ્રુપમાં વિભાજીત કરવામાં આવ્યા છે.
ભાજપની કાર્યશૈલી વિશે જણાવશે
વિજય ચોથાઈવાલાએ જણાવ્યું છે કે, દુનિયાને એ બતાવાનો પ્રયાસ છે કે, જનસંઘના યુગથી લઈને ભાજપના ગઠન સુધી ભાજપનો શું અર્થ છે. એક રાષ્ટ્ર વિશે પોતાના વિચારો, પોતાની વિચારધારા અને માર્ગદર્શક સિદ્ધાંત સાથે અમે કઈ સામાજિત પ્રવૃતિઓ કરી શકીએ. એ બતાવાની જરૂર છે. તેમણે કહ્યું કે, અમે 6 એપ્રિલે સારી એવી પ્રતિક્રિયા મળી છે અને તેને આગળ વધારતા અમે આવનારા સમયમાં 150થી વધારે રાજદૂતો સાથે વાતચીત કરવા માગીએ છીએ.
દુનિયાની સૌથી મોટી પાર્ટી
રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર સરકારમાં એક વરિષ્ઠ મંત્રીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું છે કે, ભાજપ એક અલગ પાર્ટી છે અને પાર્ટીના ઉત્થાન અને આ મહાન રાષ્ટ્રના નિર્માણમાં તેના યોગદાન વિશે તમામને બતાવાની જરૂર છે. આખરે અમે દુનિયાની સૌથી મોટી પાર્ટી છીએ. અમે એક એવી પાર્ટી છીએ, જેની પાસે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીમાં રહેલા સભ્યો કરતા બે ગણી વધારે સંખ્યા ધરાવીએ છીએ.
ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ
આ અગાઉ 6 એપ્રિલ 2022ના રોજ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો 42મો સ્થાપના દિવસ મનાવ્યો હતો. આ દરમિયાન દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં આવેલા 15 રાજદૂતો સાથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વાતચીત કરી અને પાર્ટી અને તેમની વિચારધાર વિશે ચર્ચા કરી. વાતચીત દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજદૂતોને જણાવ્યું કે, ભાજપ સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના સિદ્ધાંત સાથે કામ કરી રહ્યું છે.
અમિત શાહે બનાવ્યો હતો વિદેશ વિભાગ
રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર આ કાર્યક્ર દ્વારા સિંગાપુરના રાજદૂત એ જોવા માગે છે કે, શું તે ભારતના ગ્રામિણ વિસ્તારમાં કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી શકે છે. તેના માટે ભાજપ ટૂંક સમયમાં અલગ એક પ્રવાસનું આયોજન કરી શકે છે. આપને જણાવી દઈએ કે, નવેમ્બર 2014માં તત્કાલિન ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટીએ એક નવા વિદેશ વિભાગ શરૂ કર્યું હતું. ત્યારથી વિજય ચોથાઈવાલા તેના પ્રમુખ છે.