પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ TMC વચ્ચેનો સંઘર્ષ રોજબરોજ વધુને વધુ તીવ્ર બનતો જઈ રહ્યો છે. આજે ભાજપે દાવો કર્યો છે કે ઉત્તર 24 પરગણાના હલી શહેરમાં શનિવારે TMC ના કાર્યકરો દ્વારા તેના કાર્યકરો ઉપર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં એકનું મોત થયું હતું અને 6 કાર્યકર્તાઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
ભાજપનો દાવો, TMC ના ગુંડાઓએ હુમલો કર્યો
બંગાળ ભાજપના દાવા પ્રમાણે થઈ રહ્યો ડોર ટુ ડોર પ્રચાર
હાલમાં જ ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા પર હુમલો થયો હતો
ભાજપ ના બંગાળ યુનિટે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટિ્વટ કર્યું હતું કે, વધુ એક દિવસ, બીજી હત્યા. હલીશહેરમાં કાર્યકર્તા સૈકત ભાવલની TMC ના ગુંડાઓ દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, જ્યારે 6 અન્ય લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને કલ્યાણીની જે.એન. મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૈકત ભાવલ પર તે સમયે હુમલો થયો હતો જ્યારે તે પાર્ટી માટે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા.
તે જ સમયે, તૃણમૂલ કોંગ્રેસે TMC એ પણ સામો આક્ષેપ કર્યો છે કે આ ઘટના વ્યક્તિગત દુશ્મનીનું પરિણામ છે. ભાજપ નેતા મુકુલ રોયે જણાવ્યું હતું કે RSS કાર્યકર અને નંબર 6 વોર્ડ હલીશહરનો રહેવાસી સૈકત ભાવલની હત્યા થઈ છે. પશ્ચિમ બંગાળમાં હવે લોકશાહી પૂરી થઈ ગઈ છે.
ભાજપ પ્રમુખના કાફલા પર હુમલો થયો હતો
મહત્વનું છે કે બંગાળમાં આવતા વર્ષે ચૂંટણી હોવાથી હાલમાં ભાજપ અને TMC વચ્ચે રસાકસી ચાલી રહી છે. બંગાળમાં TMC ની સત્તા છે અને છેલ્લી લોકસભા બાદ ભાજપ ત્યાં ખૂબ જ મજબૂત વિકલ્પ બનીને સામે આવ્યું છે, જેને લઈને બંને પક્ષો વચ્ચે હિંસાના બનાવો પણ વધી રહ્યા છે. બંને પક્ષોનો આક્ષેપ છે કે તેમના કાર્યકરોને મોતને ઘાટ ઉતારી દેવાયા છે.
જે.પી.નડ્ડાના કાફલા પર થયો હતો હુમલો
તાજેતરમાં જ ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા પર હુમલો થયો હતો કે જ્યારે તેઓ ડાયમંડ હાર્બર જઇ રહ્યા હતા ત્યારે તેમના કાફલા ઉપર પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપ નું કહેવું છે કે આ હુમલામાં ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયને પણ નુકસાન પહોંચ્યું છે.અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના અન્ય તમામ મંત્રીઓએ આ હુમલાની નિંદા કરી હતી અને મમતા સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.
તે જ સમયે, મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ હુમલાને બીજેપીની રણનીતિ ગણાવી હતી. મમતા બેનર્જીએ કહ્યું કે ડ્રામા અને નૌટંકી દ્વારા ભાજપ કામ કરી રહ્યું છે, જો ભાજપ અધ્યક્ષ સાથે CRPF અને BSF નો કાફલો હોય તો કોઈ તેમણે સ્પર્શી જ કેવી રીતે શકે ?