ભાજપની સ્થાપના સમયથી જ તેના મેનિફેસ્ટોમાં રામ મંદિર, જમ્મુ-કશ્મીરમાં કલમ 370 હટાવવી અને દેશમાં કોમન સિવિલ કોડ લાગૂ કરવાનો વાયદો સામેલ હતા. જેમાંથી 05 ઓગસ્ટના રોજ જમ્મુ-કશ્મીરમાં કલમ 370 દૂર કરવાનો નિર્ણય કર્યો જે બાદ આજે 09 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિરના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય સરકારે પોતે લીધો જ્યારે રામમંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો. ત્રણ મહિનામાં આના પર ટ્રસ્ટ અને યોજના બનાવવા કહ્યું છે.
હવે મોદી સરકારનો માત્ર એક જ વાયદો બાકી છે. જે છે સમાન નાગરિક અધિકાર છે. સરકારમાં હાલ તેના પર કામ ચાલી રહ્યું છે.
સૂત્રોના મતે શિયાળુ સત્રમાં મોદી સરકાર ધર્માંતર વિરોધી બિલ રજૂ કરી શકે છે. સાથે જ નાગરિક્તા સંશોધન બિલ પર મોદી સરકાર તૈયારી કરી રહી છે. ટ્રીપલ તલાક, ધર્માંતર વિરોધી બિલ અને નાગરિક્તા સંશોધન બિલને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની કડી તરીકે જોવાઈ રહ્યું છે. બે મોટા વાયદાઓને પૂર્ણ કર્યા બાદ હવે મોદી સરકાર ત્રીજા વાયદાને પૂર્ણ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.