પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત ચન્ની સંબંધિત એક જુની ખબરને ટાંકીને ભાજપે કોંગ્રેસ પર હુમલો કર્યો છે.
2018 માં ચરણજીત ચન્ની પર લાગ્યો હતો મહિલા અધિકારીને મેસેજ મોકલવાનો આરોપ
ભાજપને જુની ખબરને ટાંકીને કર્યો કોંગ્રેસ પર હુમલો
ભાજપ નેતા અમીત માલવીયે ટ્વિટ કરીને સાધ્યું નિશાન
2018 ની સાલમાં પંજાબના નવા વરાયેલા મુખ્યમંત્રી ચરણજીત ચન્ની પર એક મહિલાને અનુચિત મેસેજ મોકલવાનો આરોપ લાગ્યો હતો. આ ખબર 2018 માં છપાઈ હતી. આ ખબરને મુદ્દો બનાવીને ભાજપ નેતા અમીત માલવીયે ટ્વિટ કરીને જણાવ્યું કે કોંગ્રેસે ચરણજીત ચન્નીને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યાં, જેમણે 2018 માં મીટૂ મામલે કાર્યવાહીનો સામનો કર્યો હતો.
તેમણે કથિત રીતે 2018 માં મહિલા આઈએએસ અધિકારીને ખોટો સંદેશ મોકલ્યો હતો. આ કેસમાં ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું. પરંતુ પંજાબ મહિલા આયોગની નોટીસ બાદ કેસ ફરી પ્રકાશમાં આવ્યો હતો.
Congress’s CM pick Charanjit Channi faces action in a 3-year-old #MeToo case. He had allegedly sent an inappropriate text to a woman IAS officer in 2018. It was covered up but the case resurfaced when Punjab Women's Commission sent notice.
Well done, Rahul.https://t.co/5OV70lwjWT
શું છે મામલો
2018 ની સાલમાં અમરિન્દર સરકારના જેલમંત્રી અને હાલના નવા વરાયેલા સીએમ ચરણજીત ચન્ની પર એક સિનિયર મહિલા આઈએએસને વાંધાજનક મેસેજ મોકલાવાનો આરોપ લાગ્યો હતો. તે વખતે આ મુદ્દે મોટો હોબાળો મચ્યો હતો. આરોપ દરમિયાન ચન્ની વિદેશમાં હતા અને વિદેશમાંથી પરત આવીને ખુદ ચન્નીએ સ્વીકાર્યું હતું કે હા તેમનાથી ભૂલથી મહિલા આઈએએસ અધિકારીને મેસેજ જતા રહ્યાં હતા જોકે તેમણે માફી પણ માગી લીધી હતી. ભાજપ અને અકાલી દળે આ મુદ્દે પંજાબ સરકાર અને કોંગ્રેસ પર મોટી પસ્તાળ પાડી હતી.
કોગ્રેસ હાઈકમાન્ડે શા માટે મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યાં
ચરણજીત ચન્ની દલિત સમૂદાયના દિગ્ગજ નેતા છે અને તે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના ખાસ છે. ચરણજીત ચન્નીને મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસે દલિત સમુદાયને એક મોટો મેસેજ આપ્યો છે. દલિત નેતાને સીએમ બનાવીને કોંગ્રેસ એક મોટી વસતીને સાધવાનું કામ કર્યું છે. તેમને કમાન સોંપીને કોંગ્રેસે હિંદુ, દલિત અને શીખોને સાધવાનું કામ કર્યું છે. રાજ્યમાં દલિતોની લગભગ 20 ટકા વસતી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસની આ વોટબેન્ક વિખેરાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં દલિતો વોટોને એકજૂટ કરવા માટેની આ સારી તક હતી.
દલિત શીખ સમુદાયમાંથી આવે છે ચન્ની
ચન્ની દલિત શીખ સમુદાયમાંથી આવે છે તેઓ અમરિન્દર સરકારમાં ટેકનોલોજી શિક્ષણ મંત્રી હતા. તેઓ પંજાબના મુખ્યમંત્રી બનનાર પહેલા દલિત સીએમ બન્યાં છે. પંજાબના દોઆબા ક્ષેત્રના કદ્દાવર કોંગ્રેસ નેતા છે.