કોલકતામાં સંયુક્ત ભારત રેલીમાં ભાજપ અને મોદી સરકારના વિરોધમાં ઊભા થયેલા તમામ નેતાઓ ભેગાં થયાં છે. મમતા બેનર્જીની આ મહારેલીમાં ભાજપના બળવાખોર નેતા અને પટના સાહિબના સાંસદ શત્રુઘ્ન સિંહા પણ પહોંચ્યા હતાં. સિંહાએ ભાજપના રાફેલ ઉજ્જવલાથી લઈને GST અને નોટબંધીના મુદ્દા પર ભાજપને ઘેરી હતી જ્યારે રાહુલ ગાંધીના જોરદાર વખાણ કર્યા હતાં.
જેના પર ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે. ભાજપ નેતા રાજીવ પ્રતાપ રૂડીએ શત્રુઘ્ન સિંહાને નિશાના પર લીધા છે. દિલ્હીમાં આ મુદ્દે થયેલી પ્રેસ કૉન્ફરન્સમાં રૂડીએ સિંહા પર પ્રહાર કર્યા હતાં. રૂડીએ કહ્યું હતું કે શત્રુઘ્ન સિંહા પર પાર્ટીએ વિચાર કરી લીધો છે. કેટલાંક લોકોની મહત્વાકાંક્ષા ઘણી વધી ગઈ છે. હું આવા લોકો વિશે કંઈ ખાસ કહી શકું તેમ નથી. એટલું જરૂર કહેવા માંગીશ કે આ પાર્ટી અને જનતાના વિશ્વાસ સાથે દગો આપવાનું કામ છે. આ લોકો ભાજપ સાંસદના નામ પર મળનારી સુવિધાઓનો લાભ લેતા રહે છે અને બીજાના સંમેલનોમાં શામેલ પણ થાય છે.
Rajiv Pratap Rudy BJP on Shatrughan Sinha present at 'United India' opposition rally in Kolkata: Some people are intelligent in a different way. Some people want to carry stamp of BJP for the facilities that come as a MP; Visual of Shatrughan Sinha present at the rally in Kolkata pic.twitter.com/WIran1YpOw
રૂડીએ વિપક્ષની રેલીને અવસરવાદીઓનો મેળો બતાવ્યો હતો. તેમણે કહ્યું કે તમામ સિદ્ધાંતવિહીન લોકો એક મંચ પર જમા થઈ ગયા છે. જનતા સમજદાર છે અને આવા લોકોની પકડમાં નહીં આવે.
Shatrughan Sinha BJP at Opposition rally in Kolkata: Agar sach kehna baghawat hai toh samjho hum bhi baghi hain. Main sach ke saath sidhanton se samjhouta nahi kar sakta. pic.twitter.com/hJE1Z2Mv4P
જ્યારે બીજી બાજુ રેલીમાં શત્રુઘ્ન સિંહાએ સંબોધન વખતે કહ્યું હતું કે સત્ય બોલવું જો બળવાખોરી હોય તો હા હું બળવાખોર છું. હું સત્યની સાથે અને સિદ્ધાંતોની સાથે ક્યારેય સમજૂતી નથી કરી શકતો.
ઉલ્લેખનીય છે કે આ રેલીમાં વિપક્ષના તમામ દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતાં. 25 પાર્ટીઓના નેતાઓએ અહીં હાજરી આપી હતી. કોલકતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત આ રેલીમાં અખિલેશ યાદવ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ શરદ યાદવ H D દેવગૌડા વગેરે જેવા વિપક્ષી નેતાઓ હાજર રહ્યાં હતાં.